નેવું વર્ષ (આ શરીરના) થયાં. પંડિતજી! શરીરને નેવું - નેવું, નવ અને શૂન્ય, ૬૬ વર્ષ તો દીક્ષાને
(થયાં) ૬૭ વર્ષથી દુકાન છોડી. દુકાન ઉપર પણ અમે તો (શાસ્ત્રો) વાંચતા હતા. ૬૪ કે ૬પ ની
સાલથી. પિતાજી ગુજરી ગયા. દુકાન હતી. પાલેજ દુકાને ૬પ સાલથી અમે શાસ્ત્ર વાંચતા. શ્વેતાંબરના.
ત્યાં તો બધા શ્વેતાંબર હતા ને...! સ્થાનકવાસી હતા પણ એ તો શ્વેતાંબરનો (ફાંટો છે ને...!) ત્યાં
‘અધ્યાત્મકલ્પદ્રુમ’ એક છે શ્વેતાંબરના... એ પહેલાં મળ્યું. ૬પની સાલથી. ૬૩માં દુકાન (સંભાળતા)
અને ચોસઠની સાલથી અમે શાસ્ત્ર વાંચતા. પણ શ્વેતાંબર હતા. ત્યાં તો શ્વેતાંબર શાસ્ત્રો હતા.
‘અધ્યાત્મકલ્પદ્રુમ’ પહેલાં મળ્યું. ૬૪- ૬પની સાલની વાત છે. ૧૮-૧૯ વર્ષની ઉંમર (હતી). તો
‘અધ્યાત્મકલ્પદ્રુમ’ વાંચીએ પણ તત્ત્વની વાત કંઈ નહીં. પછી સૂયગડાંગ, દશવૈકાલિક, ઉત્તરાધ્યયન
જોયાં દુકાને, દુકાન ઉપર જોયાં. ૬પ-૬૬ની સાલ-૭૦ વરસ પહેલાંની વાત છે! અહીંયાં તો જિંદગી
એમાં જ (શાસ્ત્રાભ્યાસમાં જ) ગઈ છે.
આહા...હા...!
લેતા નથી. - તે પરસમય-મિથ્યાદ્રષ્ટિ છે. પર્યાયબુદ્ધિ મૂઢ જીવ છે. જુઓ પાછળ ગાથા-૯૩
(મૂળગાથા).
હા! એ ભગવાન! દિગંબર સંતો! એ આ તીર્થંકરની વાણી કહેવાવાળા છે. બીજે ક્યાંય (આ વાણી)
છે નહીં. આ દિગંબર જૈન એ કોઈ પક્ષ નહીં, કોઈ પંથ નહીં, વાડો નહીં. વસ્તુનું સ્વરૂપ છે. -
વસ્તુનું સ્વરૂપ આવું છે એને અહીંયાં કહેવામાં આવ્યું છે. આવું (વસ્તુસ્વરૂપ) દિગંબર સંતોએ કહ્યું
છે અને તોપણ (એ) કહે છે કે આ ભગવાન ત્રિલોકનાથે કહ્યું છે (ભગવાનની આ વાણી છે)
પોતાની વાત નથી. આહા..હા!