૯૨ ] [ પુરુષાર્થસિદ્ધિઉપાય
અન્વયાર્થઃ– [मिथ्यात्ववेदरागाः] મિથ્યાત્વ, સ્ત્રી, પુરુષ અને નપુંસક વેદના રાગ [तथैव च] એ જ રીતે [हास्यादयः] હાસ્યાદિ અર્થાત્ હાસ્ય, રતિ, અરતિ, શોક, ભય, જુગુપ્સા એ [षड् दोषाः] છ દોષ [च] અને [चत्वारः] ચાર અર્થાત્ ક્રોધ, માન, માયા, લોભ અથવા અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાનાવરણી, પ્રત્યાખ્યાનાવરણી અને સંજ્વલન એ ચાર [कषाया] કષાયભાવ–આ રીતે [आभ्यन्तराः ग्रन्थाः] અંતરંગ પરિગ્રહ [चतुर्दश] ચૌદ છે.
ટીકાઃ– ‘आभ्यन्तराः ग्रन्थाः मिथ्यात्ववेदरागाः तथैव हास्यादयः षड् दोषाः च चत्वारः कषायाः –चतुर्दश (भवति)’– અર્થઃ– આભ્યંતર પરિગ્રહ ૧૪ પ્રકારનો છે. ૧ મિથ્યાત્વ, ૨ પુરુષવેદ, ૩ સ્ત્રીવેદ, ૪ નપુંસકવેદ તથા પ હાસ્ય, ૬ રતિ, ૭ અરતિ, ૮ શોક, ૯ભય, ૧૦ જુગુપ્સા અને ૧૧ ક્રોધ, ૧૨ માન, ૧૩ માયા, ૧૪ લોભ–એ ૧૪ આભ્યંતર પરિગ્રહ છે. ૧૧૬.
नैषः कदापि सङ्गः सर्वोऽप्यतिवर्तते हिंसाम्।। ११७।।
અન્વયાર્થઃ– [अथ] ત્યાર પછી [बाह्यस्य] બહિરંગ [परिग्रहस्य] પરિગ્રહનાં [निश्चित्तसचित्तौ] અચિત્ત અને સચિત્ત એ [द्वौ] બે [भेदौ] ભેદ છે. [एषः] આ [सर्वः अपि] બધાય [सङ्ग] પરિગ્રહ [कदापि] કોઈપણ કાળે [हिंसाम्] હિંસાનું [न अतिवर्तते] ઉલ્લંઘન કરતા નથી અર્થાત્ કોઈપણ પરિગ્રહ કદીપણ હિંસારહિત નથી.
ટીકાઃ– ‘अथ बाह्यस्य परिग्रहस्य निश्चित सचित्तौ द्वौ भेदौ (भवतः) एषः सर्वोऽपि (परिग्रहः) सङ्ग हिंसाम् कदापि न अतिवर्तते’– અર્થઃ– બાહ્ય પરિગ્રહનાં ચેતન અને અચેતન એ બે ભેદ છે. આ જે બધોય પરિગ્રહ છે તે હિંસાનું ઉલ્લંઘન કરતો નથી, અર્થાત્ હિંસા વિના પરિગ્રહ હોતો નથી. ૧૧૭.
द्विविधपरिग्रहवहनं हिंसेति जिनप्रवचनज्ञाः।। ११८।।