Purusharth Siddhi Upay (Gujarati). Shlok: 125.

< Previous Page   Next Page >


Page 97 of 186
PDF/HTML Page 109 of 198

 

પુરુષાર્થસિદ્ધિઉપાય ] [ ૯૭

અન્વયાર્થઃ– [प्रथमम्] પહેલાં [एव] [तत्त्वार्थाश्रद्धाने] તત્ત્વાર્થના અશ્રદ્ધાનમાં જેને [निर्युक्तं] સંયુક્ત કર્યા છે એવા [मिथ्यात्वं] મિથ્યાત્વ [च] અને [सम्यग्दर्शनचौराः] સમ્યગ્દર્શનના ચોર [चत्वारः] ચાર [प्रथमकषायाः] પહેલાં કષાય અર્થાત્ અનંતાનુબંધી ક્રોધ, માન, માયા અને લોભ છે.

ટીકાઃ– ‘प्रथमं तत्त्वार्थाश्रद्धाने मिथ्यात्वं निर्युक्तं–एवं मिथ्यात्वं च चत्वारः प्रथम कषायाः सम्यग्दर्शनचौराः सन्ति’– અર્થઃ– પહેલાં તત્ત્વાર્થના મિથ્યાશ્રદ્ધાનમાં સંયુક્ત કર્યા છે અર્થાત્ પહેલો મિથ્યાત્વ નામનો અંતરંગ પરિગ્રહ છે અને પહેલી ચોકડી અર્થાત્ અનંતાનુબંધી ક્રોધ–માન–માયા–લોભ એ ચાર છે. આ રીતે સમ્યગ્દર્શનના એ પાંચ ચોર છે. જ્યાંસુધી એનો નાશ થતો નથી ત્યાંસુધી સમ્યગ્દર્શન થતું નથી.

ભાવાર્થઃ– અહીં એમ બતાવે છે કે આ અંતરંગ ચૌદ પ્રકારના પરિગ્રહોનો કેવી રીતે ત્યાગ કરવો જોઈએ. પહેલાં જ્યારે શ્રાવક સમ્યગ્દર્શન પ્રાપ્ત કરે છે ત્યારે મિથ્યાત્વ અને અનંતાનુબંધી ચોકડીનો નાશ કરે છે. અનાદિ મિથ્યાદ્રષ્ટિની અપેક્ષાએ પાંચનો નાશ થાય છે અને સાદિ (મિથ્યાદ્રષ્ટિ)ની અપેક્ષાએ સાતનો નાશ થાય છે.

બાકીના બીજા બતાવે છેઃ–

प्रविहाय च द्वितीयान् देशचरित्रस्य सन्मुखायातः।
नियतं ते हि कषायाः देशचरित्रं
निरुन्धन्ति।। १२५।।

અન્વયાર્થઃ– [च] અને [द्वितीयान्] બીજા કષાય અર્થાત્ અપ્રત્યાખ્યાનાવરણી ક્રોધ–માન–માયા–લોભને [प्रविहाय] છોડીને [देशचरित्रस्य] દેશચારિત્રની [सन्मुखायातः] સન્મુખ આવે છે, [हि] કારણ કે [ते] તે [कषायाः] કષાય [नियतं] નક્કીપણે [देशचरित्रं] એકદેશ ચારિત્રને [निरुन्धन्ति] રોકે છે.

ટીકાઃ– ‘च श्रावकाः द्वितीयान् अप्रत्याख्यान क्रोधादीन् चतुष्कान् प्रविहाय देशचरित्रस्य सन्मुखायातः भवन्ति हि ते कषायाः नियतं देशचरित्रं निरुन्धन्ति।’ _________________________________________________________________ ૧. જેમ હિંસાના પ્રકરણમાં કહેવામાં આવ્યું છે કે કોઈ પુરુષથી જો બાહ્ય હિંસા થઈ જાય અને તેના

પરિણામ તે હિંસા કરવાના ન હોય–શુદ્ધ હોય, તો તે હિંસાનો ભાગીદાર થતો નથી.

૨. મિથ્યાત્વ, સમ્યગ્મિથ્યાત્વ અને સમ્યગ્પ્રકૃતિમિથ્યાત્વ.