Purusharth Siddhi Upay (Gujarati). Shlok: 135.

< Previous Page   Next Page >


Page 104 of 186
PDF/HTML Page 116 of 198

 

૧૦૪ ] [ પુરુષાર્થસિદ્ધિઉપાય

અન્વયાર્થઃ– [वा] અથવા [बहुप्रलपितैः] ઘણા પ્રલાપથી [किं] શું? [यः] જે પુરુષ [मनोवचनकायैः] મન, વચન અને કાયાથી [रात्रिभुक्तिं] રાત્રિભોજનનો [परिहरति] ત્યાગ કરે છે [सः] તે [सततम्] નિરંતર [अहिंसां] અહિંસાનું [पालयति] પાલન કરે છે [इति सिद्धम्] એમ સિદ્ધ થયું.

ટીકાઃ– ‘वा बहुप्रलपितैः किं इति सिद्धं यः मनोवचनकायैः रात्रिभुक्तिं परिहरति स सततं अहिंसां पालयति’–અર્થઃ–અથવા ઘણું કહેવાથી શું? એ વાત સિદ્ધ થઈ કે જે મનુષ્ય મન, વચન, કાયાથી રાત્રિભોજનનો ત્યાગ કરે છે તે હંમેશાં અહિંસાનું પાલન કરે છે.

ભાવાર્થઃ– રાત્રે ભોજન કરવામાં અને રાત્રે ભોજન બનાવવામાં હંમેશાં હિંસા છે. રાત્રે ભોજન કરવાની અપેક્ષાએ રાત્રે ભોજન બનાવવામાં ઘણી વધારે હિંસા થાય છે. તેથી પહેલાં અહિંસાવ્રત પાળનારાઓએ રાત્રે બનેલા દરેક પદાર્થનો ત્યાગ કરવો જોઈએ. ખાસ કરીને બજારના બનેલા પદાર્થોનો તો બિલકુલ ત્યાગ જ કરી દેવો જોઈએ પણ જો પાક્ષિક શ્રાવક કોઈ રીતે સમ્પૂર્ણ ત્યાગ કરી ન શકે તો પાણી, પાન, મેવો વગેરે કે જેમાં રાતે બિલકુલ આરંભ કરવો પડતો નથી તેનું ગ્રહણ કરે તો કરી શકે છે, તે પણ જો તેને પાણી વિના ચાલતું ન હોય તો. ૧૩૪.

इत्यत्र त्रितयात्मनि मार्गे मोक्षस्य ये स्वहितकामाः।
अनुपरतं प्रयतन्ते प्रयान्ति
ते मुक्तिमचिरेण।। १३५।।

અન્વયાર્થઃ– [इति] એ રીતે [अत्र] આ લોકમાં [ये] જે [स्वहितकामाः] પોતાના હિતના ઇચ્છુક [मोक्षस्य] મોક્ષના [त्रितयात्मनि] રત્નત્રયાત્મક [मार्गे] માર્ગમાં [अनुपरतं] સર્વદા અટકયા વિના [प्रयतन्ते] પ્રયત્ન કરે છે [ते] તે પુરુષ [मुक्तिम्] મોક્ષમાં [अचिरेण] શીઘ્ર જ [प्रयान्ति] ગમન કરે છે.

ટીકાઃ– ‘ये (पुरुषाः) स्वहितकामाः इत्यत्र त्रितयात्मनि मोक्षमार्गे अनुपरतं प्रयतन्ते ते (पुरुषाः) अचिरेण मुक्तिं प्रयान्ति’– અર્થઃ–જે જીવ પોતાના હિતને ઇચ્છતા થકા આ રીતે રત્નત્રયરૂપ મોક્ષમાર્ગમાં હંમેશાં પ્રયત્ન કરતા રહે છે તે જીવ તરત જ મોક્ષને પામે છે. જીવમાત્રનું હિત મોક્ષ છે, સંસારમાં બીજે કયાંય આનંદ નથી. તેથી જે જીવ મોક્ષમાં જવા ઇચ્છે છે તેમણે સદૈવ સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન અને સમ્યક્ચારિત્રરૂપ જે મોક્ષમાર્ગ છે તેમાં સદૈવ જ પ્રયત્ન કર્યા કરવો. જો આપણે