ॐ
श्रीजिनाय नमः
શ્રીમદ્–અમૃતચંદ્રાચાર્યદેવવિરચિત
પુરુષાર્થસિદ્ધિ–ઉપાય
આચાર્યકલ્પ શ્રી પં. ટોડરમલજીકૃત ભાષાવચનિકાનો
ગુજરાતી અનુવાદ
મંગલાચરણ
(દોહા)– પરમ પુરુષ નિજ અર્થને, સાધિ થયા ગુણવૃંદ;
આનન્દામૃતચન્દ્રને, વંદું છું સુખકંદ. ૧
બાની બિન બૈન ન બને, બૈન બિના બિન નૈન;
નૈન બિના ના બાન બન, નમોં બાનિ બિન બૈન. ૨
ગુરુ ઉર ભાવૈ આપ પર, તારક, બારક પાપ;
સુરગુરુ ગાવૈ આપ પર, હારક વાચ કલાપ. ૩
મૈં નમો નગન જૈન જિન, જ્ઞાન ધ્યાન ધન લીન;
મૈન માન વિન દાનઘન, એન હીન તન છીન. ૪
ભાવાર્થઃ– જે પરમ પુરુષ નિજ સ્વરૂપ સાધીને શુદ્ધગુણ સમૂહરૂપે થયા તે સુખકન્દ આનંદસ્વરૂપ શ્રી અમૃતચંદ્રાચાર્યને વંદું છું. ૧. વાણીનો યોગ ન હોય તો વર્ણન થાય નહીં, જિનવાણીના વર્ણન વિના જ્ઞાનચક્ષુ ન હોય, ભાવભાસનરૂપ જ્ઞાનચક્ષુ વિના વર્ણનને નિમિત્ત કહી શકાતું નથી, નિરક્ષરી જિનવાણીને નમસ્કાર હો. ૨. શ્રીગુરુ કેવા છે? કે હૃદયમાં સ્વ–પર ભેદવિજ્ઞાન ભાવે છે, તારક છે, પાપનું નિવારણ કરનારા છે; વચનબલી વાદીને જીતનારા જે સુરગુરુ તેઓ ભેદવિજ્ઞાન ગાય છે–ભક્તિ કરે છે.