૧૨૮ ] [ પુરુષાર્થસિદ્ધિઉપાય
અન્વયાર્થઃ– [ऐहिकफलानपेक्षा] આ લોક સંબંધી ફળની ઇચ્છા ન રાખવી, [क्षान्तिः] ક્ષમા અથવા સહનશીલતા, [निष्कपटता] નિષ્કપટપણું, [अनसूयत्वम्] ઇર્ષારહિતપણું, [अविषादित्वमुदित्वे] અખિન્નભાવ, હર્ષભાવ અને [निरहङ्कारित्वम्] નિરભિમાનપણું [इति]–એ રીતે આ સાત [हि] નિશ્ચયથી [दातृगुणाः] દાતાના ગુણ છે.
ટીકાઃ– ‘हि ऐहिकफलानपेक्षा, क्षान्तिः, निष्कपटता, अनसूयत्वम्, अविषादित्वम्– मुदित्वम्, निरहंकारित्वम इति सप्त दातृगुणाः सन्ति।’ અર્થઃ–૧–ઐહિકફલ–અનપેક્ષા–દાન આપીને આ લોક સંબંધી સારા ભોગોપભોગની સામગ્રીની ઇચ્છા ન કરવી. ૨–ક્ષાન્તિ–દાન આપતી વખતે ક્ષમાભાવ ધારણ કરવો. ૩–નિષ્કપટતા–કપટ ન કરવું તે. બહારમાં ભક્તિ કરે અને અંતરંગમાં પરિણામ ખરાબ રાખે તેમ ન કરવું જોઈએ. ૪–અનસૂયત્વમ્–બીજા દાતા પ્રત્યે દુર્ભાવ ન રાખવો. અર્થાત્ પોતાને ઘેર મુનિ મહારાજનો આહાર ન થવાથી અને બીજાના ઘેર આહાર થવાથી બીજા પ્રત્યે બુરો ભાવ ન રાખવો. પ–અવિષાદપણું–વિષાદ ન કરવો તે. અમારે ત્યાં સારી વસ્તુ હતી તે અમે આપી શકયા નહિ વગેરે પ્રકારે ખિન્નતા કરવી નહિ. ૬– મુદિતપણું–દાન આપીને ખૂબ હર્ષ ન કરે. ૭–નિરહંકારીપણું–અભિમાન ન કરવું તે. અમે મહાન દાની છીએ ઇત્યાદિ પ્રકારે મનમાં અભિમાન ન કરવું. આ ૧સાત ગુણ દાતાના છે. તે પ્રત્યેક દાતામાં અવશ્ય હોવા જોઈએ. આ રીતે નવ પ્રકારની ભક્તિપૂર્વક તથા સાત ગુણ સહિત જે દાતા દાન આપે છે તે દાન ઘણું ફળ આપનાર થાય છે અને જે એ સિવાય દાન આપે છે તે ઘણું ફળ આપનાર થતું નથી. ૧૬૯.
અન્વયાર્થઃ– [यत्] જે [द्रव्यं] દ્રવ્ય [रागद्वेषासंयममददुःखभयादिकं] રાગ, દ્વેષ, અસંયમ, મદ, દુઃખ, ભય આદિ [न कुरुते] કરતું નથી અને [सुतपः स्वाध्याय– _________________________________________________________________ ૧. રત્નકરણ્ડ શ્રાવકાચાર ગા૦ ૧૩૩ માં દાતાના સાત ગુણ–૧ ભક્તિ–ધર્મમાં તત્પર રહી, પાત્રોના
પાત્રની ભક્તિમાં પ્રવર્તે. ૨–તુષ્ટિ–દેવામાં અતિ આસક્ત, પાત્રલાભને પરમ નિધાનનો લાભ માને.
૩–શ્રદ્ધા, ૪–વિજ્ઞાન, પ–અલોલુપ, ૬–સાત્ત્વિક, ૭–ક્ષમા.