Purusharth Siddhi Upay (Gujarati). Sallekhna Dharma Vyakhyan Shlok: 175-176.

< Previous Page   Next Page >


Page 133 of 186
PDF/HTML Page 145 of 198

 

સલ્લેખનાધર્મ વ્યાખ્યાન

હવે સલ્લેખનાનું સ્વરૂપ કહે છેઃ–

इयमेकैव समर्था धर्मस्वं मे मया समं नेतुम्।
सततमिति भावनीया पश्चिमसल्लेखना भक्त्या।। १७५।।

અન્વયાર્થઃ– [इयम्] [एका] એક [पश्चिमसल्लेखना एव] મરણના અંતે થવાવાળી સંલેખના જ [मे] મારા [धर्मस्वं] ધર્મરૂપી ધનને [मया] મારી [समं] સાથે [नेतुम्] લઈ જવાને [समर्था] સમર્થ છે. [इति] એ રીતે [भक्त्या] ભક્તિ સહિત [सततम्] નિરંતર [भावनीया] ભાવના કરવી જોઈએ.

ટીકાઃ– ‘इयम् एकैव मे धर्मस्वं मया समं नेतुम् समर्था इति इतौः पश्चिमसल्लेखना भक्त्या सततं भावनीया।’ અર્થઃ–આ માત્ર એકલી સંલેખના જ મારા ધર્મને મારી સાથે લઈ જવાને સમર્થ છે તે કારણે દરેક મનુષ્યે આ અંતિમ સંલેખના અથવા સમાધિમરણની ભક્તિથી સદા ભાવના કરવી જોઈએ.

ભાવાર્થઃ– સંસારનાં કારણ ક્રોધાદિ કષાય છે અને તેમનાં કારણ આહાર વગેરે પરિગ્રહમાં ઇચ્છા છે. (સ્વસન્મુખતાના બળવડે) એ બધાંને ઘટાડવાં તેને જ સંલેખના કહે છે. આ સંલેખના પણ બે પ્રકારની છે. એક ક્રમે ક્રમે ત્યાગ કરવો અને બીજી સર્વથા ત્યાગ કરવો. તેથી વિચાર કરીને શ્રાવકે પોતાના મરણના અંત સમયે જરૂર જ સંલેખના કરવી જોઈએ. મેં જે જીવનપર્યંત પુણ્યરૂપ કાર્ય કર્યું છે તથા ધર્મનું પાલન કર્યું છે તે ધર્મને મારી સાથે પહોંચાડવાને માટે આ એક સંલેખના જ સમર્થ છે–એવો વિચાર કરી શ્રાવકે અવશ્ય સમાધિમરણ કરવું.૧૭પ.

मरणान्तेऽवश्यमहं विधिना सल्लेखनां करिष्यामि।
इति भावनापरिणतोऽनागतमपि पालयेदिदं शीलम्।।
१७६।।

_________________________________________________________________ ૧. સત્ સમ્યક્પ્રકારે, લેખના કષાયને ક્ષીણ–કૃશ કરવાને સલ્લેખના કહે છે. તે અભ્યંતર અને

બાહ્ય બે ભેદરૂપ છે. કાયને કૃશ કરવાને બાહ્ય અને આંતરિક ક્રોધાદિ કષાયોનો કૃશ કરવાને
અભ્યંતર સલ્લેખના કહે છે.