પુરુષાર્થસિદ્ધિઉપાય ] [ ૧પ૭ જે મુનિને મનગુપ્તિ હોય છે તેમને અવધિજ્ઞાન અવશ્ય નિયમથી હોય છે. જ્યારે ત્રણે ગુપ્તિ થઈ જાય છે ત્યારે આત્મધ્યાન હોય છે. ૨૦૨.
सम्यग्ग्रहनिक्षेपौ व्युत्सर्गः सम्यगिति समितिः।। २०३।।
અન્વયાર્થઃ– [सम्यग्गमनागमनं] સાવધાનીથી સારી રીતે ગમન અને આગમન, [सम्यग्भाषा] ઉત્તમ હિતમિતરૂપ વચન, [सम्यक् एषणा] યોગ્ય આહારનું ગ્રહણ, [सम्यग्ग्रहनिक्षेपौ] પદાર્થનું યત્નપૂર્વક ગ્રહણ અને યત્નપૂર્વક ક્ષેપણ કરવું [तथा] અને [सम्यग्व्युत्सर्गः] પ્રાસુક ભૂમિ જોઈને મળ–મૂત્રાદિનો ત્યાગ કરવો–[इति] એ રીતે આ પાંચ [समितिः] સમિતિ છે.
ટીકાઃ– ‘सम्यग्गमनागमनं सम्यग्भाषा तथा सम्यक् एषणा च सम्यग्ग्रहनिक्षेपः सम्यक् व्युत्सर्गः इति् (पंच) समितिः।’ અર્થઃ–૧–ઈર્યાસમિતિ–બે ઘડી સૂર્ય ઊગ્યા પછી રસ્તો પ્રાસુક થઈ ગયા પછી યત્નાચારપૂર્વક ચાર હાથ પ્રમાણ જમીન જોઈ સંભાળીને આવવું–જવું.
૨–ભાષાસમિતિ–હિતકારી અને થોડાં એવાં વચન બોલવાં કે જે સાંભળતાં કોઈ પણ પ્રાણીને દુઃખ ન થાય.
૩–એષણાસમિતિ–છેંતાળીસ દોષ, બત્રીસ અંતરાય ટાળીને ઉત્તમ કુલીન શ્રાવકને ઘેર આચારસહિત વિધિપૂર્વક શુદ્ધ પ્રાસુક આહાર એકવાર લેવો.
૪–આદાનનિક્ષેપણસમિતિ–યત્નાચારપૂર્વક જોઈ સંભાળીને પુસ્તક, પીંછી, કમંડળ વગેરે લેવું–મૂકવું.
પ–પ્રતિષ્ઠાપનાસમિતિ–જોઈ સંભાળીને નિર્જીવ સ્થાનમાં કફ, મળ, મૂત્ર વગેરેનો ત્યાગ કરવો, લીલોતરી ઉપર અથવા ભીની જમીન પર મળત્યાગ ન કરવો. –આ રીતે સમિતિનું વર્ણન કર્યું. આ પાંચે સમિતિ ગુપ્તિના પાલનમાં સહાયક થાય છે અને જેવી રીતે સમિતિનું કથન કર્યું છે તે પ્રકારે પાલન તો મુનિમહારાજ જ કરે છે, તોપણ જેટલું બની શકે તેટલું શ્રાવકે પણ પાલન કરવું જોઈએ. જેમ કે શ્રાવકે જોઈ સંભાળીને ચાલવું જોઈએ, ઓછું અને હિતકારી વચન બોલવું જોઈએ, શુદ્ધ પ્રાસુક આહાર લેવો, બધી વસ્તુઓ જોઈ સંભાળીને લેવી–મૂકવી અને જોઈ