૧૬૮ ] [ પુરુષાર્થસિદ્ધિઉપાય
અન્વયાર્થઃ– [इति] આ રીતે [एतत्] પૂર્વોક્ત [रत्नत्रयम्] સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન અને સમ્યક્ચારિત્રરૂપ રત્નત્રય [विकलम्] એકદેશ [अपि] પણ [निरत्ययां] અવિનાશી [मुक्तिम्] મુક્તિને [अभिलषिता] ચાહનાર [गृहस्थेन] ગૃહસ્થે [अनिशं] નિરંતર [प्रतिसमयं] સમયે સમયે [परिपालनीयम्] સેવવા યોગ્ય છે.
ટીકાઃ– ‘इति एतत् रत्नत्रयं प्रतिसमयं विकलं अपि निरत्ययां मुक्तिं अभिलषिता गृहस्थेन अनिशं परिपालनीयम्।’ અર્થઃ–આ રીતે આ રત્નત્રય અર્થાત્ સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન અને સમ્યક્ચારિત્રનું ગૃહસ્થ શ્રાવકે પણ એકદેશપણે સદૈવ મોક્ષને ઇચ્છતો થકો પાલન કરવું જોઈએ.
ભાવાર્થઃ– મુનિને રત્નત્રય પૂર્ણરૂપે છે અને ગૃહસ્થ શ્રાવક સમ્પૂર્ણ રત્નત્રયનું પાલન કરી શકતો નથી તેથી તેણે એકદેશ પાલન કરવું જોઈએ પણ રત્નત્રયથી વિમુખ થવું ન જોઈએ, કેમકે રત્નત્રય જ મોક્ષનું કારણ છે. મુનિને રત્નત્રય મહાવ્રતના યોગથી સાક્ષાત્ મોક્ષનું કારણ છે અને શ્રાવકને અણુવ્રતના યોગથી પરંપરા મોક્ષનું કારણ છે, અર્થાત્ જે શ્રાવકને સમ્યગ્દર્શન થઈ જશે તેનું અલ્પજ્ઞાન પણ સમ્યગ્જ્ઞાન અને અણુવ્રત પણ સમ્યક્ચારિત્ર કહેવાશે, તેથી રત્નત્રયનું ધારણ કરવું ઘણું જરૂરી છે.
સાત તત્ત્વોની શ્રદ્ધા કરવી તે વ્યવહારસમ્યગ્દર્શન અને નિજસ્વરૂપની શ્રદ્ધા અર્થાત્ સ્વાનુભવ થવો તે નિશ્ચયસમ્યગ્દર્શન છે. જિનાગમથી આગમપૂર્વક જે સાતે પદાર્થોને જાણી લેવા તે વ્યવહારસમ્યગ્જ્ઞાન અને નિજસ્વરૂપનું ભાન અર્થાત્ આત્મજ્ઞાન થવું તે નિશ્ચયસમ્યગ્જ્ઞાન છે. અશુભકાર્યોની નિવૃત્તિપૂર્વક શુભકાર્યોમાં પ્રવૃત્તિ કરવી તે વ્યવહારસમ્યક્ચારિત્ર અને શુભપ્રવૃત્તિથી પણ નિવૃત્ત થઈને શુદ્ધોપયોગરૂપ નિજસ્વરૂપમાં સ્થિર થવું તે નિશ્ચયસમ્યક્ચારિત્ર છે.–આ રીતે સંક્ષેપથી રત્નત્રયનું શ્રાવકે એકદેશપણે અવશ્ય જ પાલન કરવું જોઈએ. રત્નત્રય વિના કોઈનું પણ કલ્યાણ નથી. ૨૦૯.
पदमवलम्ब्य मुनीनां कर्त्तव्यं सपदि परिपूर्णम्।। २१०।।
અન્વયાર્થઃ– [च] અને આ વિકલરત્નત્રય [नित्यं] નિરંતર [बद्धोद्यमेन] ઉદ્યમ કરવામાં તત્પર એવા મોક્ષાભિલાષી ગૃહસ્થે [बोधिलाभस्य] રત્નત્રયના લાભનો