Purusharth Siddhi Upay (Gujarati). Shlok: 8.

< Previous Page   Next Page >


Page 11 of 186
PDF/HTML Page 23 of 198

 

પુરુષાર્થસિદ્ધિઉપાય ] [ ૧૧ નિશ્ચયથી [तथा] તેમ [अनिश्चयज्ञस्य] નિશ્ચયનયના સ્વરૂપથી અપરિચિત પુરુષને માટે [व्यवहारः] વ્યવહાર [एव][निश्चयतां] નિશ્ચયપણું [याति] પામે છે.

ટીકાઃ– ‘यथा हि अनवगीतसिंहस्य माणवक एव सिंहो भवति’– જેમ નિશ્ચયથી (ખરેખર) જેણે સિંહને જાણ્યો નથી તેને બિલાડી જ સિંહરૂપ થાય છે. તથા ‘अनिश्चयज्ञस्य व्यवहारः एव निश्चयतां याति’– તેમ જેણે નિશ્ચયનું સ્વરૂપ જાણ્યું નથી તેમને વ્યવહાર જ નિશ્ચયરૂપ થાય છે. અર્થાત્ તેઓ વ્યવહારને જ નિશ્ચય માની બેસે છે.

ભાવાર્થઃ– જેમ બાળક સિંહને ઓળખતું નથી, બિલાડીને જ સિંહ માને છે તેમ અજ્ઞાની નિશ્ચયના સ્વરૂપને ઓળખતો નથી, વ્યવહારને જ નિશ્ચય માને છે. તે જ બતાવીએ છીએ. જે જીવ પોતાના શુદ્ધ ચૈતન્યરૂપ આત્માના શ્રદ્ધાન, જ્ઞાન, આચરણરૂપ મોક્ષમાર્ગને ઓળખતો નથી તે જીવ વ્યવહારદર્શન, જ્ઞાન, ચારિત્રનું સાધન કરી પોતાને મોક્ષનો અધિકારી માને છે. અરિહંતદેવ, નિર્ગ્રંથ ગુરુ, દયાધર્મનું શ્રદ્ધાન કરી પોતાને સમ્યગ્દ્રષ્ટિ માને છે. અને કિંચિત્ જિનવાણીને જાણી પોતાને જ્ઞાની માને છે, મહાવ્રતાદિ ક્રિયાનું સાધન કરી પોતાને ચારિત્રવાન માને છે. આ રીતે એ શુભોપયોગમાં સંતુષ્ટ થઈ, શુદ્ધોપયોગરૂપ મોક્ષમાર્ગમાં પ્રમાદી છે તે કારણે કેવળ વ્યવહારનયના અવલંબી થયા છે એને ઉપદેશ આપીએ તો નિષ્ફળ છે. અહીં પ્રશ્ન ઊપજે છે કે આવા શ્રોતા પણ ઉપદેશ લાયક નથી.

તો શ્રોતા કેવા ગુણવાળા હોવા જોઈએ? તેનો ઉત્તર આગળ કહે છે–

व्यवहारनिश्चयौ यः प्रबुध्य तत्त्वेन भवति मध्यस्थः।
प्राप्नोति देशनायाः स एव फलमविकलं
शिष्यः।। ८।।

અન્વયાર્થઃ– [यः] જે જીવ [व्यवहारनिश्चयौ] વ્યવહારનય અને નિશ્ચયનયને [तत्त्वेन] વસ્તુસ્વરૂપ વડે [प्रबुध्य] યથાર્થપણે જાણીને [मध्यस्थः] મધ્યસ્થ [भवति] થાય છે, અર્થાત્ નિશ્ચયનય અને વ્યવહારનયના પક્ષપાતરહિત થાય છે [सः] તે [एव][शिष्यः] શિષ્ય [देशनायाः] ઉપદેશના [अविकलं] સમ્પૂર્ણ [फलं] ફળને [प्राप्नोति] પામે છે.

ટીકાઃ– ‘यः व्यवहारनिश्चयौ तत्त्वेन प्रबुध्य मध्यस्थः भवति’– જે જીવ વ્યવહારનય અને નિશ્ચયનયને યથાર્થપણે જાણીને પક્ષપાતરહિત થાય છે ‘स एव शिष्यः