Purusharth Siddhi Upay (Gujarati). Granth Prarumbh Shlok: 9.

< Previous Page   Next Page >


Page 13 of 186
PDF/HTML Page 25 of 198

 

ગ્રન્થ પ્રારંભ

હવે ગ્રન્થનું વર્ણન કરે છે. આ ગ્રન્થમાં પુરુષના અર્થની સિદ્ધિના ઉપાયનું વ્યાખ્યાન કરશે. તેથી પ્રથમ જ પુરુષનું સ્વરૂપ કહે છેઃ–

अस्ति पुरुषश्चिदात्मा विवर्जितः स्पर्शगन्धरसवर्णैः।
गुणपर्ययसमवेतः
समाहितः समुदयव्ययध्रौव्यैः।। ९।।

અન્વયાર્થઃ– [पुरुषः] પુરુષ અર્થાત્ આત્મા [चिदात्मा] ચેતનાસ્વરૂપ [अस्ति] છે, [स्पर्शगन्धरसवर्णैः] સ્પર્શ, ગંધ, રસ, અને વર્ણથી [विवर्जितः] રહિત છે, [गुणपर्ययसमवेतः] ગુણ અને પર્યાય સહિત છે તથા [समुदयव्ययध्रौव्यैः] ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય [समाहितः] યુક્ત છે.

ટીકાઃ– पुरुषः चिदात्मा अस्ति –પુરુષ છે તે ચૈતન્યસ્વરૂપ છે.

ભાવાર્થઃ– (पुरु) ઉત્તમ ચેતના ગુણમાં (सेते) સ્વામી થઈને પ્રવર્તે તેનું નામ પુરુષ છે. જ્ઞાન, દર્શન, ચેતનાના નાથને પુરુષ કહીએ. આ જ ચેતના અવ્યાપ્તિ, અતિવ્યાપ્તિ અને અસંભવ એ ત્રણ દોષરહિત આ આત્માનું અસાધારણ લક્ષણ છે. અવ્યાપ્તિ દોષ તેને કહે છે કે જેને જેનું લક્ષણ કહ્યું હોય તે તેના કોઈ લક્ષ્યમાં હોય, અને કોઈ લક્ષ્યમાં ન હોય. પણ કોઈ આત્મા ચેતના રહિત નથી.

જો આત્માનું લક્ષણ રાગાદિ કહીએ તો અવ્યાપ્તિ દૂષણ લાગે છે કારણ કે રાગાદિ સંસારી જીવને છે, સિદ્ધ જીવોને નથી.

જે લક્ષણ લક્ષ્યમાં હોય અને અલક્ષ્યમાં પણ હોય તેને અતિવ્યાપ્તિ દૂષણ કહીએ. પણ ચેતના જીવ પદાર્થ સિવાય બીજા કોઈ પદાર્થમાં નથી. જો આત્માનું લક્ષણ અમૂર્તત્વ કહીએ તો અતિવ્યાપ્તિ દૂષણ લાગે; કારણ કે જેવી રીતે આત્મા અમૂર્તિક છે તેવી રીતે ધર્મ, અધર્મ, આકાશ અને કાળ પણ અમૂર્તિક છે. વળી જે પ્રમાણમાં ન આવે તેને અસંભવ કહીએ. ચેતના જીવ પદાર્થમાં પ્રત્યક્ષ અને પરોક્ષ પ્રમાણથી જણાય છે. જો આત્માનું લક્ષણ જડપણું કહીએ તો અસંભવ દોષ લાગે છે; કારણ કે તે પ્રત્યક્ષ પ્રમાણથી બાધિત છે. આ રીતે ત્રણ દોષ રહિત આત્માનું ચેતના લક્ષણ