Purusharth Siddhi Upay (Gujarati). Shlok: 18-19.

< Previous Page   Next Page >


Page 23 of 186
PDF/HTML Page 35 of 198

 

પુરુષાર્થસિદ્ધિઉપાય ] [ ૨૩

ભાવાર્થઃ– જે જીવ ઉપદેશ સાંભળવાની રુચિવાળા હોય તેમને પહેલાં વારંવાર મુનિધર્મનો ઉપદેશ આપવો. જો તે જીવ મુનિપદવી અંગીકાર ન કરે તો પછી તેને શ્રાવક ધર્મનો ઉપદેશ આપવો. ૧૭.

શ્રાવકધર્મનું વ્યાખ્યાન આગળ જે રીત કરે છે તે રીતથી ઉપદેશ ન લાગે તો આ અનુક્રમ છોડીને જે ઉપદેશદાતા ઉપદેશ આપે છે તેની નિંદા કરે છે–

यो यतिधर्ममकथयन्नुपदिशति गृहस्थधर्ममल्पमतिः।
तस्य
भगवत्प्रवचने प्रदर्शितं निग्रहस्थानम्।। १८।।

અન્વયાર્થઃ– [यः] જે [अल्पमति] તુચ્છ બુદ્ધિ ઉપદેશક [यतिधर्मं] મુનિધર્મનું [अकथयन्] કથન ન કરતાં [गृहस्थधर्मं] શ્રાવકધર્મનો [उपदिशति] ઉપદેશ આપે છે [तस्य] તે ઉપદેશકને [भगवत्प्रवचने] ભગવાનના સિદ્ધાન્તમાં [निग्रहस्थानं] દંડ દેવાનું સ્થાન [प्रदर्शितं] બતાવ્યું છે.

ટીકાઃ– ‘‘यः अल्पमतिः यतिधर्मः अकथयन् गृहस्थधर्मं उपदिशति तस्य भगवत्प्रवचने निग्रहस्थानं प्रदर्शितम्’’– તુચ્છ બુદ્ધિવાળા ઉપદેશક મુનિધર્મનો ઉપદેશ ન આપતાં, ગૃહસ્થધર્મનો ઉપદેશ આપે છે, તેને ભગવાનના સિદ્ધાન્તમાં દંડનું સ્થાન કહ્યું છે.

ભાવાર્થઃ– જે ઉપદેશક પહેલાં યતીશ્વરના ધર્મનો તો ઉપદેશ ન સંભળાવે પણ પહેલાં જ શ્રાવકધર્મનું વ્યાખ્યાન કરે તો તે ઉપદેશકને જિનમતમાં પ્રાયશ્ચિતરૂપ દંડ યોગ્ય કહ્યો છે. ૧૮.

આગળ એને દંડ આપવાનું કારણ કહે છેઃ–

अक्रमकथनेन यतः प्रोत्सहमानोऽतिदूरमपि शिष्यः।
अपदेऽपि सम्प्रतृप्तः प्रतारितो भवति तेन दुर्मतिना।। १९।।

અન્વયાર્થઃ– [यतः] જે કારણે [तेन] તે [दुर्मतिना] દુર્બુદ્ધિના [अक्रमकथनेन] ક્રમભંગ કથનરૂપ ઉપદેશ કરવાથી [अतिदुरं] અત્યંત દૂર–વધારે [प्रोत्सहमानोऽपि] ઉત્સાહવાળો હોવા છતાં પણ [शिष्यः] શિષ્ય [अपदे अपि] તુચ્છ સ્થાનમાં જ [संप्रतृप्तः] સંતુષ્ટ થઈને [प्रतारितः भवति] ઠગાય છે.