પુરુષાર્થસિદ્ધિઉપાય ] [ ૨૩
ભાવાર્થઃ– જે જીવ ઉપદેશ સાંભળવાની રુચિવાળા હોય તેમને પહેલાં વારંવાર મુનિધર્મનો ઉપદેશ આપવો. જો તે જીવ મુનિપદવી અંગીકાર ન કરે તો પછી તેને શ્રાવક ધર્મનો ઉપદેશ આપવો. ૧૭.
શ્રાવકધર્મનું વ્યાખ્યાન આગળ જે રીત કરે છે તે રીતથી ઉપદેશ ન લાગે તો આ અનુક્રમ છોડીને જે ઉપદેશદાતા ઉપદેશ આપે છે તેની નિંદા કરે છે–
तस्य
અન્વયાર્થઃ– [यः] જે [अल्पमति] તુચ્છ બુદ્ધિ ઉપદેશક [यतिधर्मं] મુનિધર્મનું [अकथयन्] કથન ન કરતાં [गृहस्थधर्मं] શ્રાવકધર્મનો [उपदिशति] ઉપદેશ આપે છે [तस्य] તે ઉપદેશકને [भगवत्प्रवचने] ભગવાનના સિદ્ધાન્તમાં [निग्रहस्थानं] દંડ દેવાનું સ્થાન [प्रदर्शितं] બતાવ્યું છે.
ટીકાઃ– ‘‘यः अल्पमतिः यतिधर्मः अकथयन् गृहस्थधर्मं उपदिशति तस्य भगवत्प्रवचने निग्रहस्थानं प्रदर्शितम्’’– તુચ્છ બુદ્ધિવાળા ઉપદેશક મુનિધર્મનો ઉપદેશ ન આપતાં, ગૃહસ્થધર્મનો ઉપદેશ આપે છે, તેને ભગવાનના સિદ્ધાન્તમાં દંડનું સ્થાન કહ્યું છે.
ભાવાર્થઃ– જે ઉપદેશક પહેલાં યતીશ્વરના ધર્મનો તો ઉપદેશ ન સંભળાવે પણ પહેલાં જ શ્રાવકધર્મનું વ્યાખ્યાન કરે તો તે ઉપદેશકને જિનમતમાં પ્રાયશ્ચિતરૂપ દંડ યોગ્ય કહ્યો છે. ૧૮.
આગળ એને દંડ આપવાનું કારણ કહે છેઃ–
અન્વયાર્થઃ– [यतः] જે કારણે [तेन] તે [दुर्मतिना] દુર્બુદ્ધિના [अक्रमकथनेन] ક્રમભંગ કથનરૂપ ઉપદેશ કરવાથી [अतिदुरं] અત્યંત દૂર–વધારે [प्रोत्सहमानोऽपि] ઉત્સાહવાળો હોવા છતાં પણ [शिष्यः] શિષ્ય [अपदे अपि] તુચ્છ સ્થાનમાં જ [संप्रतृप्तः] સંતુષ્ટ થઈને [प्रतारितः भवति] ઠગાય છે.