પુરુષાર્થસિદ્ધિઉપાય ] [ ૪૭
અન્વયાર્થઃ– [कार्त्स्न्यनिवृत्तौ] સર્વથા–સર્વદેશ ત્યાગમાં [निरतः] લીન [अयं यतिः] આ મુનિ [समयसारभूतः] શુદ્ધોપયોગરૂપ સ્વરૂપમાં આચરણ કરનાર [भवति] હોય છે. [या तु एकदेशविरतिः] અને જે એકદેશવિરતિ છે [तस्यां निरतः] તેમાં લાગેલો [उपासकः] ઉપાસક અર્થાત્ શ્રાવક [भवति] હોય છે.
ટીકાઃ– ‘‘कार्त्स्न्यनिवृत्तौ निरतः अयं यतिः भवति’’– (અંતરંગમાં તો ત્રણ કષાયરહિત શુદ્ધિનું બળ છે જેને તથા) પાંચ પાપના સર્વથા–સર્વદેશ ત્યાગમાં જે જીવ લાગેલો છે તે મુનિ છે. ‘‘अयं समयसारभूतः’’–આ મુનિ શુદ્ધોપયોગરૂપ શુદ્ધાત્માસ્વરૂપ જ છે. મુનિ છે તે શુદ્ધોપયોગસ્વરૂપ જ છે. જે શુભોપયોગરૂપ ભાવ છે તે પણ આ મુનિની પદવીમાં કાલિમા સમાન છે. ‘‘तु एकदेशविरतिः तस्यां निरतः उपासकः भवति’’– જે પાંચ પાપના કદાચિત્ એકદેશ ત્યાગમાં લાગેલો જીવ છે તે શ્રાવક છે.
ભાવાર્થઃ–
છે.૪૧.
આગળ કહે છે કે આ પાંચ પાપ એક હિંસારૂપ જ છેઃ–
अनृतवचनादिकेवलमुदाहृतं शिष्यबोधाय।। ४२।।
અન્વયાર્થઃ– [आत्मपरिणामहिंसनहेतुत्वात्] આત્માના શુદ્ધોપયોગરૂપ પરિણામોનો ઘાત થવાના હેતુથી [एतत्सर्वं] આ બધું [हिंसैव] હિંસા જ છે. [अनृतवचनादि] અનૃત વચનાદિના ભેદ [केवलं] કેવળ [शिष्यबोधाय] શિષ્યોને સમજાવવા માટે [उदाहृतम्] ઉદાહરણરૂપ કહ્યા છે.
ટીકાઃ– ‘सर्वं एतत् हिंसा एव’– સમસ્ત આ પાંચ પાપ કહ્યા છે તે હિંસા જ છે. શા માટે? ‘आत्मपरिणामहिंसनहेतुत्वात्’– આત્માના શુદ્ધોપયોગરૂપ પરિણમનના ઘાતના કારણ છે તેથી સર્વ હિંસા જ છે.
પ્રશ્નઃ– જો હિંસા જ હોય તો બીજા ભેદ શા માટે કહ્યા?
ઉત્તરઃ– ‘अनृतवचनादि केवलं शिष्यबोधाय उदाहृतम्’– અનૃત વચન વગેરે જે ભેદ તે માત્ર શિષ્યને સમજાવવાના નિમિત્તે ઉદાહરણરૂપ કહ્યા છે. શિષ્ય હિંસાના