Purusharth Siddhi Upay (Gujarati). Shlok: 45-46.

< Previous Page   Next Page >


Page 50 of 186
PDF/HTML Page 62 of 198

 

પ૦ ] [ પુરુષાર્થસિદ્ધિઉપાય

ઉત્તરઃ– આ લક્ષણમાં અતિવ્યાપ્તિ અને અવ્યાપ્તિ બન્ને દોષ લાગે છે. ૪૪.

ત્યાં પ્રથમ જ અતિવ્યાપ્તિ દોષ બતાવે છેઃ–

युक्ताचरणस्य सतो रागाद्यावेशमन्तरेणापि।
न हि भवति जातु हिंसा प्राणव्यपरोपणादेव।। ४५।।

અન્વયાર્થઃ– [अपि] અને [युक्ताचरणस्य] યોગ્ય આચરણવાળા [सतः] સંત પુરુષના [रागाद्यावेशमन्तरेण] રાગાદિ ભાવો વિના [प्राणव्यपरोपणात्] કેવળ પ્રાણ પીડનથી [हिंसा] હિંસા [जातु एव] કદી પણ [न हि] નથી [भवति] થતી.

ટીકાઃ– ‘अपि युक्ताचरणस्य सतः रागाद्यावेशमन्तरेण प्राणव्यपरोपणात् जातु हिंसा न हि भवति’– નિશ્ચયથી યોગ્ય પ્રયત્નપૂર્વક છે આચરણ જેમનું એવા જે સંત પુરુષ તેને રાગાદિ ભાવોના પ્રવેશ વિના. કેવળ પરજીવના પ્રાણ પીડવાથી જ કદી હિંસા થતી નથી.

ભાવાર્થઃ– મહાપુરુષ ધ્યાનમાં લીન છે અથવા ગમનાદિમાં સાવધાનતાથી યત્નપૂર્વક પ્રવર્તે છે અને કદાચ એના શરીરના સંબંધથી કોઈ જીવના પ્રાણ પીડાયા તોપણ એને હિંસાનો દોષ નથી. કેમકે એના પરિણામમાં કષાય હતો નહિ. તેથી પરજીવના પ્રાણને પીડા થાય તોપણ હિંસા નામ પામે નહિ. માટે અતિવ્યાપ્તિ દોષ લાગે છે.

આગળ અવ્યાપ્તિ દોષ બતાવે છેઃ–

व्युत्थानावस्थायां रागादीनां वशप्रवृत्तायाम्।

म्रियतां जीवो मा वा धावत्यग्रे ध्रुवं हिंसा।। ४६।।

અન્વયાર્થઃ– [रागादीनां] રાગાદિભાવોના [वशप्रवृत्तायाम्] વશે પ્રવર્તેલી [व्युत्थानावस्थायां] અયત્નાચારરૂપ પ્રમાદ અવસ્થામાં [जीवः] જીવ [म्रियतां] મરો [वा] અથવા [मा ‘म्रियतां’] ન મરો, [हिंसा] હિંસા તો [ध्रुवं] નિશ્ચયથી [अग्रे] આગળ જ [धावति] દોડે છે.

ટીકાઃ– ‘रागादीनां वश प्रवृत्तायं व्युत्थानावस्थायां जीवः म्रियतां वा मा म्रियतां हिंसा अग्रे ध्रुवं धावति’– રાગાદિ પ્રમાદભાવના વશે થતી ઊઠવા–બેસવા આદિરૂપ ક્રિયામાં જીવ મરે કે ન મરે, હિંસા તો નિશ્ચયથી આગળ દોડે છે.