Purusharth Siddhi Upay (Gujarati). Shlok: 47-48.

< Previous Page   Next Page >


Page 51 of 186
PDF/HTML Page 63 of 198

 

પુરુષાર્થસિદ્ધિઉપાય ] [ પ૧

ભાવાર્થઃ– જે પ્રમાદી જીવ કષાયને વશ થઈને ગમનાદિ ક્રિયામાં યત્નરૂપ પ્રવર્તતો નથી અથવા બેસતાં–ઊઠતાં ક્રોધાદિ ભાવોમાં પરિણમે છે તો ત્યાં જીવ કદાચ મરે કે ન મરે પણ એને તો કષાયભાવ વડે અવશ્ય હિંસાનો દોષ લાગે છે. એટલે પરજીવના પ્રાણની પીડા ન થવા છતાં પણ પ્રમાદના સદ્ભાવથી હિંસા નામ પામે છે. તે માટે જ તે લક્ષણમાં અવ્યાપ્તિ દોષ લાગે છે. ૪૬.

પ્રશ્નઃ– હિંસાનો અર્થ તો ઘાત કરવો તે છે, પરજીવના પ્રાણનો ઘાત કર્યા વિના હિંસા નામ કેવી રીતે પામે? તેનો ઉત્તર આગળ કહે છેઃ–

यस्मात्सकषायः सन् हन्त्यात्मा प्रथममात्मनात्मानम्।
पश्चाज्जायेत
न वा हिंसा प्राण्यन्तराणां तु।। ४७।।

અન્વયાર્થઃ– [यस्मात्] કારણ કે [आत्मा] જીવ [सकषायः सन्] કષાયભાવો સહિત હોવાથી [प्रथमं] પહેલાં [आत्मना] પોતા વડે જ [आत्मानं] પોતાને [हन्ति] હણે છે [तु] અને [पश्चात्] પછીથી ભલે [प्राण्यन्तराणां] બીજા જીવોથી [हिंसा] હિંસા [जायेत] થાય [वा] કે [न] ન થાય.

અર્થઃ– ‘यस्मात् सकषायः सन् आत्मा प्रथमं आत्मना आत्मानं हन्ति तु पश्चात् प्राण्यन्तराणां हिंसा जायेत वा न जायेत’– કારણ કે કષાયભાવો સહિત થયેલો આત્મા પહેલાં પોતાથી જ પોતાને હણે છે, પછી અન્ય પ્રાણી–જીવોનો ઘાત થાવ કે ન થાવ.

ભાવાર્થઃ– હિંસા નામ તો ઘાતનું જ છે, પણ ઘાત બે પ્રકારના છે. એક આત્મઘાત, બીજો પરઘાત. જ્યારે આ આત્મા કષાયભાવે પરિણમ્યો અને પોતાનું બૂરું કર્યું ત્યારે આત્મઘાત તો પહેલાં જ થયો. ત્યારે પછી બીજા જીવનું આયુષ્ય પૂરું થયું હોય અથવા પાપનો ઉદય હોય તો તેનો પણ ઘાત થાય. તું તેનો ઘાત કરી શકતો નથી કારણ કે તેનો ઘાત તો તેના કર્મને આધીન છે. આને તો આના ભાવનો દોષ છે. આ રીતે પ્રમાદસહિત યોગમાં આત્મઘાતની અપેક્ષાએ તો હિંસા નામ પામ્યો છે. ૪૭.

હવે પરઘાતની અપેક્ષાએ પણ હિંસાનો સદ્ભાવ બતાવે છેઃ–

हिंसायाअविरमणं हिंसा परिणमनपि भवति हिंसा।
तस्मात्प्रमत्तयोगे प्राणव्यपरोपणं नित्यम्।। ४८।।