Purusharth Siddhi Upay (Gujarati). Shlok: 49.

< Previous Page   Next Page >


Page 52 of 186
PDF/HTML Page 64 of 198

 

પ૨ ] [ પુરુષાર્થસિદ્ધિઉપાય

અન્વયાર્થઃ– [हिंसाया] હિંસાથી [अविरमणं] વિરક્ત ન થવું [हिंसा] તેનાથી હિંસા અને [हिंसापरिणमनं] હિંસારૂપ પરિણમવું તેનાથી [अपि] પણ [हिंसा] હિંસા [भवति] થાય છે. [तस्मात्] તેથી [प्रमत्तयोगे] પ્રમાદના યોગમાં [नित्यं] નિરંતર [प्राणव्यपरोपणं] પ્રાણઘાતનો સદ્ભાવ છે.

ટીકાઃ– ‘हिंसाया अविरमणं हिंसा परिणमनं अपि भवति हिंसा’– હિંસાના ત્યાગભાવનો અભાવ તે હિંસા છે અને હિંસારૂપ પરિણમવાથી પણ હિંસા થાય છે.

ભાવાર્થઃ– પરજીવના ઘાતરૂપ જે હિંસા છે તે બે પ્રકારની છે. એક અવિરમણરૂપ અને એક પરિણમનરૂપ.

૧. અવિરમણરૂપ હિંસાઃ– જે વખતે જીવ પરજીવના ઘાતમાં તો પ્રવર્તતો નથી, બીજા જ કોઈ કામમાં પ્રવર્તે છે પણ હિંસાનો ત્યાગ કર્યો નથી. તેનું ઉદાહરણઃ– જેમ કોઈને હરિતકાયનો ત્યાગ નથી અને તે કોઈ વખતે હરિતકાયનું ભક્ષણ પણ કરતો નથી, તેમ જેને હિંસાનો ત્યાગ તો નથી અને તે કોઈ વખતે હિંસામાં પ્રવર્તતો પણ નથી પરંતુ અંતરંગમાં હિંસા કરવાના અસ્તિત્વભાવનો નાશ કર્યો નથી તેને અવિરમણરૂપ હિંસા કહીએ છીએ.

૨. પરિણમનરૂપ હિંસાઃ– વળી જે વખતે જીવ પરજીવના ઘાતમાં મનથી, વચનથી કે કાયથી પ્રવર્તે તેને પરિણમનરૂપ હિંસા કહીએ. આ બે ભેદ હિંસાના કહ્યા. તે બન્ને ભેદમાં પ્રમાદ સહિત યોગનું અસ્તિત્વ છે. ‘तस्मात्प्रमत्तयोगे नित्यं प्राणव्यपरोपणमं्’– તેથી પ્રમાદ સહિતના યોગમાં હંમેશા પરજીવની અપેક્ષાએ પણ પ્રાણઘાતનો સદ્ભાવ આવ્યો. એનો અભાવ તો ત્યારે જ થાય જ્યારે આ જીવ પરહિંસાનો ત્યાગ કરી પ્રમાદરૂપ ન પરિણમે ત્યાંસુધી હિંસાનો તો અભાવ કોઈપણ પ્રકારે થઈ શકે નહિ. ૪૮.

પ્રશ્નઃ– જો પ્રમાદરૂપ પોતાના પરિણામોથી હિંસા ઊપજે છે તો બાહ્ય પરિગ્રહાદિનો ત્યાગ શા માટે કરાવવામાં આવે છે? તેનો ઉત્તર આગળ કહે છેઃ–

सूक्ष्मापि न खलु हिंंसा परवस्तुनिबन्धना भवति पुंसः।
हिंसायतननिवृत्तिः परिणामविशुद्धये तदपि
कार्या।। ४९।।

અન્વયાર્થઃ– [खलु] નિશ્ચયથી [पुंसः] આત્માને [परवस्तुनिबन्धना] પરવસ્તુનું જેમાં કારણ છે એવી [सूक्ष्महिंसा अपि] સૂક્ષ્મ હિંસા પણ [न भवति]