પુરુષાર્થસિદ્ધિઉપાય ] [ પ૩ થતી નથી. [तदपि] તોપણ [परिणामविशुद्धये] પરિણામોની નિર્મળતા માટે [हिंसायतननिवृत्तिः] હિંસાના સ્થાનરૂપ પરિગ્રહાદિનો ત્યાગ [कार्या] કરવો ઉચિત છે.
ટીકાઃ– ‘खलु पुंसः परवस्तुनिबन्धना सूक्ष्माअपि हिंसा न भवति’– નિશ્ચયથી આત્માને પરવસ્તુના કારણે નીપજતી એવી જરાપણ હિંસા નથી.
ભાવાર્થઃ– પરિણામોની અશુદ્ધતા વિના પરવસ્તુના નિમિત્તે અંશમાત્ર પણ હિંસાનો દોષ લાગતો નથી. નિશ્ચયથી તો એમ જ છે તોપણ પરિણામની શુદ્ધિ માટે ‘हिंसायतननिवृत्तिः कार्या’– હિંસાના સ્થાન જે પરિગ્રહાદિ તેનો ત્યાગ અવશ્ય કરવો.
ભાવાર્થઃ– જે પરિણામ થાય છે તે કોઈ વસ્તુનું આલંબન પામીને થાય છે. જો સુભટની માતાને સુભટ પુત્ર વિદ્યમાન હોય તો તો એવા પરિણામ થાય કે ‘હું સુભટને મારું,’ પણ જે વંધ્યા છે, જેને પુત્ર જ નથી તો એવા પરિણામ કેવી રીતે થાય કે હું વંધ્યાના પુત્રને હણું? માટે જો બાહ્ય પરિગ્રહાદિનું નિમિત્ત હોય તો તેનું અવલંબન પામીને કષાયરૂપ પરિણામ થાય. જો પરિગ્રહાદિકનો ત્યાગ કર્યો હોય તો નિમિત્ત વિના, અવલંબન વિના કેવી રીતે પરિણામ ઊપજે? માટે પોતાના પરિણામોની શુદ્ધતા માટે બાહ્ય કારણરૂપ જે પરિગ્રહાદિક તેનો પણ ત્યાગ કરવો. ૪૯.
આગળ એક પક્ષવાળાનો નિષેધ કરે છેઃ–
नाशयति करणचरणं स बहिःकरणालसो बालः।। ५०।।
અન્વયાર્થઃ– [यः] જે જીવ [निश्चयं] યથાર્થ નિશ્ચય સ્વરૂપને [अबुध्यमानः] જાણ્યા વિના [तमेव] તેને જ [निश्चयतः] નિશ્ચય શ્રદ્ધાથી [संश्रयते] અંગીકાર કરે છે. [स] તે [बालः] મૂર્ખ [बहिःकरणालसः] બાહ્ય ક્રિયામાં આળસુ છે અને [करणचरणं] બાહ્યક્રિયારૂપ આચરણનો [नाशयति] નાશ કરે છે.
ટીકાઃ– ‘यः निश्चयं अबुध्यमानः निश्चयतः तमेव संश्रयते सः बालः करणचरणं नाशयति’– જે જીવ યથાર્થ નિશ્ચયના સ્વરૂપને તો જાણતા નથી, જાણ્યા વિના માત્ર નિશ્ચયના શ્રદ્ધાનથી અંતરંગને જ હિંસા જાણી અંગીકાર કરે છે તે અજ્ઞાની દયાના આચરણનો નાશ કરે છે.
ભાવાર્થઃ– જે કોઈ કેવળ નિશ્ચયનો શ્રદ્ધાની થઈને એમ કહે છે કે અમે પરિગ્રહ રાખ્યો અથવા ભ્રષ્ટાચારરૂપ પ્રવર્તીએ તો શું થયું? અમારા પરિણામ સારા