પુરુષાર્થસિદ્ધિઉપાય ] [ પ૯ चक्रसञ्चाराः’– જેમણે અનેક પ્રકારના નય સમૂહનું પ્રવર્તન જાણ્યું છે, સર્વ નયો સમજાવવાને સમર્થ છે. પ૮.
અન્વયાર્થઃ– [जिनवरस्य] જિનેન્દ્રભગવાનનું [अत्यन्तनिशितधारं] અત્યંત તીક્ષ્ણ ધારવાળું અને [दुरासदं] દુઃસાધ્ય [नयचक्रं] નયચક્ર [धार्यमाणं] ધારણ કરવામાં આવતાં [दुर्विदग्धानां] મિથ્યાજ્ઞાની પુરુષોના [मूर्धानं] મસ્તકને [झटिति] શીધ્ર જ [खण्डयति] ખંડ ખંડ કરી દે છે.
ભાવાર્થઃ– જૈનમતના નયભેદ સમજવા અત્યંત મુશ્કેલ છે. જે કોઈ મૂઢ પુરુષ સમજ્યા વિના નયચક્રમાં પ્રવેશ કરે છે તે લાભને બદલે નુકસાન મેળવે છે. આ રીતે હિંસાના ભંગ કહ્યા. પ૯.
હવે હિંસાના ત્યાગનો ઉપદેશ કરે છેઃ–
नित्यमवगूहमानैर्निजशक्त्या त्यज्यतां हिंसा।। ६०।।
અન્વયાર્થઃ– [नित्यं] નિરંતર [अवगूहमानैः] સંવરમાં ઉદ્યમી પુરુષોએ [तत्त्वेन] યથાર્થ રીતે [हिंस्यहिंसकहिंसाहिंसाफलानि] હિંસ્ય, હિંસક, હિંંસા અને હિંસાનું ફળ [अवबुध्य] જાણીને [निजशक्त्या] પોતાની શક્તિ પ્રમાણે [हिंसा] હિંસા [त्यज्यतां] છોડવી જોઈએ.
ટીકાઃ– ‘नित्यं अवगूहमानैः निजशक्त्या हिंसा त्यज्यताम्’– સંવરમાં ઉદ્યમી એવા જીવોએ હંમેશા પોતાની શક્તિવડે હિંસાનો ત્યાગ કરવો. જેટલી હિંસા છૂટે તેટલી છોડવી. કેવી રીતે? ‘तत्त्वेन हिंस्य हिंसक हिंसा हिंसाफलानि अवबुध्य’– યથાર્થ રીતે હિંસ્ય, હિંસક, હિંસા અને હિંસાનું ફળ– આ ચાર ભાવોને જાણીને હિંસા છોડવી. એને જાણ્યા વિના ત્યાગ થતો નથી. જો કર્યો હોય તોપણ કાર્યકારી નથી. તેમાં
૧. હિંસ્ય–જેની હિંસા થાય તેને હિંસ્ય કહે છે. પોતાના ભાવપ્રાણ અથવા દ્રવ્યપ્રાણ અને પરજીવના ભાવપ્રાણ કે દ્રવ્યપ્રાણ એ હિંસ્યના ભેદ છે. અથવા