૬૨ ] [ પુરુષાર્થસિદ્ધિઉપાય
આગળ મદિરામાં ભાવિત હિંસા બતાવે છેઃ–
हिंसायाः पर्यायाः सर्वेऽपि च सरकसन्निहिताः।। ६४।।
અન્વયાર્થઃ– [च] અને [अभिमानभयजुगुप्साहास्यारतिशोककामकोपाद्या] અભિમાન, ભય, ગ્લાનિ, હાસ્ય, અરતિ, શોક, કામ ક્રોધાદિ [हिंसायाः] હિંસાના [पर्यायाः] ભેદ છે અને [सर्वेऽपि] આ બધા જ [सरकसन्निहिता] મદિરાના નિકટવર્તી છે.
ટીકાઃ– ‘च अभिमानभयजुगुप्सा हास्य अरति शोक काम कोपाद्याः हिंसायाः पर्यायाः सर्वे अपि सरकसन्निहिताः’– વળી અભિમાન, ભય, જુગુપ્સા, હાસ્ય, અરતિ, શોક, કામ, ક્રોધાદિ જેટલા હિંસાના ભેદ છે તે બધા જ મદિરાના નિકટવર્તી છે. એક મદિરાપાન કરવાથી તે બધા તીવ્રપણે એવા પ્રગટ થાય છે કે માતા સાથે પણ કામક્રીડા કરવા તૈયાર થઈ જાય છે. અભિમાનાદિનાં લક્ષણ પૂર્વે વર્ણવ્યા છે. આમ મદિરાનો પ્રત્યક્ષ દોષ જાણી મદિરાનો ત્યાગ કરવો. બીજી માદક–નશાવાળી વસ્તુઓ છે તેમાં પણ હિંસાના ભેદ પ્રગટ થાય છે માટે તેમનો પણ ત્યાગ કરવો. ૬૪.
આગળ માંસના દોષ બતાવે છેઃ–
मांसं
અન્વયાર્થઃ– [यस्मात्] કારણ કે [प्राणिविघातात् विना] પ્રાણીઓના ઘાત વિના [मांसस्य] માંસની [उत्पत्तिः] ઉત્પત્તિ [न इष्यते] માની શકાતી નથી [तस्मात्] તે કારણે [मांसं भजतः] માંસભક્ષી પુરુષને [अनिवारिता] અનિવાર્ય [हिंसा] હિંસા [प्रसरति] ફેલાય છે.
ટીકાઃ– ‘यस्मात् प्राणिविघातात् विना मांसस्य उत्पत्तिः न इष्यते’– પ્રાણીઓનાજીવના ઘાત વિના માંસની ઉત્પત્તિ દેખાતી નથી. માંસ [બે ઈન્દ્રિય આદિ] જીવના શરીરમાં હોય છે, બીજી જગ્યાએ નહિ. તેથી તેનો ઘાત કરતાં જ માંસ મળે છે.‘तस्मात् मांसं भजतः अनिवारिता प्रसरति’– માટે માંસ ખાનારને હિંસા કેવી રીતે ન થાય? તે હિંસા કરે જ કરે. ૬પ.