પુરુષાર્થસિદ્ધિઉપાય ] [ ૬૩
આગળ કોઈ કહે છે કે પોતે જીવને ન મારે તો દોષ નથી તેને કહે છેઃ–
तत्रापि भवति
અન્વયાર્થઃ– [यदपि] જો કે [किल] એ સાચું છે કે [स्वयमेव] પોતાની મેળે જ [मृतस्य] મરેલા [महिषवृषभादेः] ભેંસ, બળદાદિનું [मांसं] માંસ [भवति] હોય છે પણ [तत्रापि] ત્યાંયે પણ અર્થાત્ તે માંસના ભક્ષણમાં પણ [तदाश्रितनिगोतनिर्मथनात्] તે માંસને આશ્રયે રહેતા તે જે જાતિના નિગોદ જીવોના મંથનથી [हिंसा] હિંસા [भवति] થાય છે.
ટીકાઃ– ‘यद्यपि किल स्वयमेव मृतस्य महिषवृषभादेः मांसं भवीत तत्र अपि हिंसा भवति’– જોકે પ્રગટપણે પોતાની મેળે મરણ પામેલા ભેંસ, બળદ વગેરે જીવોનું માંસ હોય છે તોપણ તે માંસભક્ષણમાં પણ હિંસા થાય છે. કેવી રીતે? તેના આશ્રયે, જે નિગોદરૂપ અનંત જીવો છે તેનો ઘાત કરવાથી હિંસા થાય છે. ૬૬.
આગળ માંસમાં નિગોદની ઉત્પત્તિ કહે છેઃ–
सातत्येनोत्पादस्तज्जातीनां निगोतानाम्।। ६७।।
અન્વયાર્થઃ– [आमासु] કાચી [पक्वासु] પાકી [अपि] તથા [विपच्यमानासु] રંધાતી [अपि] પણ [मांसपेशीषु] માંસપેશીઓમાં [तज्जातीनां] તે જ જાતિના [निगोतानाम्] સમ્મૂર્છન જીવોનો [सातत्येन] નિરંતર [उत्पादः] ઉત્પાદ થયા કરે છે.
ટીકાઃ– ‘आमास्वपि, पक्वास्वपि, विपच्यमानासु मांसपेशीषु तज्जातीनां निगोतानां सातत्येन उत्पादः अस्ति’– કાચા, અગ્નિથી રંધાયેલા, અથવા રંધાતા હોય તેવા સર્વ માંસના ટુકડાઓમાં તે જ જાતિના નિગોદના અનંત જીવોનું સમયે સમયે નિરંતર ઊપજવું થાય છે. સર્વ અવસ્થાઓમાં માંસના ટુકડામાં નિરંતર તેવા જ માંસ જેવા નવા નવા અનંત જીવ ઊપજે છે. ૬૭.
આગળ માંસથી હિંસા થાય છે એમ પ્રગટ કરે છેઃ–
स