Purusharth Siddhi Upay (Gujarati). Shlok: 69-70.

< Previous Page   Next Page >


Page 64 of 186
PDF/HTML Page 76 of 198

 

૬૪ ] [ પુરુષાર્થસિદ્ધિઉપાય

અન્વયાર્થઃ– [यः] જે જીવ [आमां] કાચી [वा] અથવા [पक्वां] અગ્નિમાં પાકેલી [पिशितपेशीम्] માંસની પેશીનું [खादति] ભક્ષણ કરે છે [वा] અથવા [स्पृशति] અડે છે. [सः] તે પુરુષ [सततनिचितं] નિરંતર એકઠા થયેલા [बहुजीवकोटीनाम्] અનેક જાતિના જીવસમૂહના [पिण्डं] પિંડને [निहन्ति] હણે છે.

ટીકાઃ– ‘यः आमां वा पक्वां पिशितपेशीम् खादति वा स्पृशति सः सततनिचितं बहुजीवकोटीनां पिण्डं निहन्ति’– જે જીવ કાચા કે અગ્નિમાં પકાવેલા માંસના ટુકડાનું ભક્ષણ કરે છે અથવા હાથ વગેરેથી અડે પણ છે તે જીવ નિરંતર જેમાં અનેક જાતિના જીવો એકઠા થયા હતા તેવા પિંડને હણે છે.

માંસમાં તો નિરંતર જીવ ઊપજી એકઠા થયા હતા. આણે તે માંસનું ભક્ષણ કર્યું અથવા સ્પર્શ કર્યો તેથી તે જીવોની પરમ હિંસા ઊપજી, માટે માંસનો ત્યાગ અવશ્ય કરવો. બીજી પણ જે વસ્તુઓમાં ઘણા જીવોની ઉત્પત્તિ થાય છે તે બધી વસ્તુ ત્યાગવા યોગ્ય છે. ૬૮.

આગળ મધના દોષ બતાવે છેઃ–

मधुशकलमपि
प्रायो मधुकरहिंसात्मकं भवति लोके।
भजति मधु मूढधीको यः स भवति हिंसकोऽत्यन्तम्।। ६९।।

અન્વયાર્થઃ– [लोके] આ લોકમાં [मधुशकलमपि] મધનું એક ટીપું પણ [प्रायः] ઘણું કરીને [मधुकरहिंसात्मकं] માખીઓની હિંસારૂપ [भवति] હોય છે માટે [यः] જે [मूढधीकः] મૂર્ખબુદ્ધિ મનુષ્ય [मधु भजति] મધનું ભક્ષણ કરે છે. [सः] તે [अत्यन्तं हिंसकः] અત્યંત હિંસા કરનાર થાય છે. ૬૯.

स्वयमेव विगलितं यो गृह्णीयाद्वा छलेन मधुगोलात्।
तत्रापि भवति
हिंसा तदाश्रयप्राणिनां घातात्।। ७०।।

અન્વયાર્થઃ– [यः] જે [छलेन] કપટથી [वा] અથવા [गोलात्] મધપૂડામાંથી [स्वयमेव विगलितम्] પોતાની મેળે ટપકેલા [मधु] મધને [गृह्णीयात] ગ્રહણ કરે છે [तत्रापि] ત્યાં પણ [तदाश्रयप्राणिनाम्] તેના આશ્રયભૂત જન્તુઓના [घातात्] ઘાતથી [हिंसा] હિંસા [भवति] થાય છે. ૭૦.