૬૬ ] [ પુરુષાર્થસિદ્ધિઉપાય
ટીકાઃ– ‘उदुम्बरयुग्मं प्लक्ष न्यग्रोध पिप्पलफलानि त्रसजीवानां योनिः’– ઉદુમ્બર અને કઠુંબર એ બે તથા પીપર–પીપળો, વડનાં ફળ અને પાકર અંજીર એ ત્રણ–એ બધાંય ત્રસ જીવોની યોનિ છે. તેમાં ઊડતાં જંતુઓ જોવામાં આવે છે. ‘तस्मात् तद्भक्षणे तेषां हिंसा भवति’– તેથી તે પાંચ વસ્તુના ભક્ષણમાં તે ત્રણ જીવોની હિંસા થાય છે. ૭૨.
કોઈ કહે કે તે ઉદંબરાદિ ફળમાં ત્રસ ન હોય તો ભક્ષણ કરવાં.
તેને આગળ કહે છેઃ–
અન્વયાર્થઃ– [तु पुनः] અને વળી [यानि] જે પાંચ ઉદુમ્બર [शुष्कानि] સૂકા [कालोच्छिन्नत्रसाणि] સમય જતાં ત્રસરહિત બનેલાં [भवेयुः] હોય [तान्यपि] તેનું પણ [भजतः] ભક્ષણ કરનારને [विशिष्टरागादिरूपा] વિશેષ રાગાદિરૂપ [हिंसा] હિંસા [स्यात्] થાય છે.
ટીકાઃ– ‘तु पुनः यानि शुष्काणि कालोच्छिन्नत्रसाणि भवेयुः तान्यपि भजतः हिंसा स्यात्’– વળી જે ઉદુમ્બરાદિ પાંચ ફળો કાળ પામીને ત્રસજીવ રહિત સુકાઈ ગયાં હોય તોપણ તે ખાનારને હિંસા થાય છે. કેવી હિંસા થાય છે? ‘विशिष्ट रागादिरूपा’– જેમાં વિશેષ રાગભાવ થયો છે તેવા સ્વરૂપવાળી. જો અધિક રાગ ન હોત તો આવી નિંદ્ય વસ્તુ શા માટે અંગીકાર કરત? માટે જ્યાં અધિક રાગભાવ થયો તે જ હિંસા. જેમ કોઈએ લીલોતરી ન ખાધી પણ તે વસ્તુના રાગભાવથી તેને સૂકવીને ખાધી. જો રાગ ન હોય તો શા માટે એવો પ્રયાસ કરે?
પ્રશ્નઃ– સૂકી વસ્તુમાં જો દોષ હોય તો અન્ન શા માટે ખાઈએ છીએ?
ઉત્તરઃ– અન્ન નિંદ્ય નથી. વળી એના રાગભાવ વિના સહજ પ્રવૃત્તિથી તે સૂકાય છે. વળી તેનું ભક્ષણ પણ સામાન્ય પેટ ભરવાના નિમિત્તે થાય છે, કાંઈ વિશેષ રાગ હોવાનું કારણ નથી. અહીં તો વિશેષરૂપ રાગભાવનું થવું તે જ હિંસા –એમ બતાવવામાં આવે છે. ૭૩.