Purusharth Siddhi Upay (Gujarati). Shlok: 90-91 Satya Vrat.

< Previous Page   Next Page >


Page 77 of 186
PDF/HTML Page 89 of 198

 

પુરુષાર્થસિદ્ધિઉપાય ] [ ૭૭

ભાવાર્થઃ– કોઈ માંસભક્ષી જીવ ભોજન માટે પોતાની પાસે આવ્યો. તેને જોઈ તેના માટે પોતાના શરીરનો પણ ઘાત ન કરવો, કારણ કે માંસભક્ષી પાત્ર નથી. માંસનું દાન તે ઉત્તમ દાન નથી. ૮૯.

को नाम विशति मोहं नयभङ्गविशारदानुपास्य गुरून्।
विदितजिनमतरहस्यः
श्रयन्नहिंसां विशुद्धमति।। ९०।।

અન્વયાર્થઃ– [नयभङ्गविशारदान] નયના ભંગો જાણવામાં પ્રવીણ [गुरून्] ગુરુઓની [उपास्य] ઉપાસના કરીને [विदितजिनमतरहस्यः] જૈનમતનું રહસ્ય જાણનાર [को नाम] એવો કોણ [विशुद्धमतिः] નિર્મળ બુદ્ધિધારી છે જે [अहिंसां श्रयन्] અહિંસાનો આશ્રય લઈને [मोहं] મૂઢતાને [विशति] પ્રાપ્ત થશે?

ટીકાઃ– ‘नाम नयभङ्गविशारदान् गुरून् उपास्य कः मोहं विशति’– હે જીવ, નયના ભેદો જાણવામાં પ્રવીણ એવા ગુરુનું સેવન કરીને કયો જીવ મોહને પ્રાપ્ત થાય? ન થાય.

ભાવાર્થઃ– જીવને સારા–નરસાનું હિત–અહિતનું શ્રદ્ધાન ગુરુના ઉપદેશથી થાય છે. પૂર્વોક્ત અશ્રદ્ધાની કુગુરુના ભરમાવવાથી અન્યથા પ્રવર્તે છે. પણ જે જીવે સર્વ નયના જાણનાર પરમ ગુરુની સેવા કરી છે તે કેવી રીતે ભ્રમમાં પડે? ન જ પડે. કેવો છે તે જીવ? ‘विदितजिनमतरहस्यः’– જેણે જૈનમતનું રહસ્ય જાણ્યું છે તેવો છે. વળી કેવો છે? ‘अहिंसां श्रयन्’– દયા જ ધર્મનું સ્વરૂપ છે એમ જાણી તેને અંગીકાર કરે છે. અને ‘विशुद्धमतिः’– જેની બુદ્ધિ નિર્મળ છે એવો જીવ મોહને પ્રાપ્ત થતો નથી. આ રીતે દયાધર્મને દ્રઢ કર્યો. એ પ્રમાણે અહિંસા વ્રતનું વર્ણન કર્યું. ૯૦.

સત્ય વ્રત

यदिदं प्रमादयोगादसदभिधानं विधीयते किमपि।
तदनृतमपि विज्ञेयं तद्भेदाः सन्ति चत्वारः।। ९१।।

અન્વયાર્થઃ– [यत्] જે [किमपि] કાંઈ [प्रमादयोगात्] પ્રમાદ કષાયના યોગથી [इदं] [असदभिधानं] સ્વપરને હાનિકારક અથવા અન્યથારૂપ વચન [विधीयते] કહેવામાં આવે છે [तत्] તેને [अनृतं अपि] નિશ્ચયથી જૂઠું [विज्ञेयम्] જાણવું જોઈએ. [तद्भेदाः] તેના ભેદ [चत्वारः] ચાર [सन्ति] છે.