Purusharth Siddhi Upay (Gujarati). Shlok: 92-93.

< Previous Page   Next Page >


Page 78 of 186
PDF/HTML Page 90 of 198

 

૭૮ ] [ પુરુષાર્થસિદ્ધિઉપાય

ટીકાઃ– ‘यत् किमपि प्रमादयोगात् इदं असत् अभिधानं विधीयते तत् अनृतं अपि विज्ञेयम्’– જે કાંઈ પ્રમાદ સહિતના યોગના હેતુથી આ અસત્ય એટલે બૂરું અથવા અન્યથારૂપ વચન છે તેને નિશ્ચયથી અનૃત જાણવું. ‘तद्भेदाः चत्वारः सन्ति’– તે અસત્યવચનના ચાર ભેદ છે. ૯૧.

તે આગળ કહીએ છીએ. તેમાં પ્રથમ ભેદ કહે છેઃ–

स्वक्षेत्रकालभावैः सदपि हि यस्मिन्निषिध्यते वस्तु।
तत्प्रथममसत्यं स्यान्नास्ति यथा देवदत्तोऽत्र।। ९२।।

અન્વયાર્થઃ– [यस्मिन्] જે વચનમાં [स्वक्षेत्रकालभावैः] પોતાનાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી [सत् अपि] વિદ્યમાન હોવા છતાં પણ [वस्तु] વસ્તુનો [निषिध्यते] નિષેધ કરવામાં આવે છે [तत्] તે [प्रथमम्] પ્રથમ [असत्यं] અસત્ય [स्यात्] છે. [यथा] જેમ કે [अत्र] ‘અહીં [देवदत्तः] દેવદત્ત [नास्ति] નથી.’

ટીકાઃ– ‘यस्मिन् स्वद्रव्यक्षेत्रकालभावैः सत् अपि वस्तु निषिध्यते तत् प्रथमं असत्यं स्यात्’– જે વચનમાં પોતાના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી સત્તારૂપે વિદ્યમાન એવા પદાર્થનો પણ નિષેધ કરવામાં આવે કે પદાર્થ નથી; તે પ્રથમ ભેદરૂપ અસત્ય છે. દ્રષ્ટાંત કહે છે– ‘यथा अत्र देवदत्तः नास्ति’– જેમકે અહીં દેવદત્ત નથી.

ભાવાર્થઃ– કોઈ ક્ષેત્રમાં દેવદત્ત નામનો પુરુષ બેઠો હતો, ત્યાં કોઈએ પૂછયું કે અહીં દેવદત્ત છે? ત્યાં ઉત્તર આપ્યો કે અહીં તો દેવદત્ત નથી. આ રીતે પોતાના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી જે વસ્તુ અસ્તિરૂપ હોય તેને નાસ્તિરૂપ કહીએ તે અસત્યનો પ્રથમ ભેદ છે. અસ્તિ વસ્તુને નાસ્તિ કહેવું તે. જે કોઈ તે પદાર્થ છે તેને તો દ્રવ્ય કહીએ. જે ક્ષેત્રમાં એકત્વરૂપ થઈને રહે છે તેને ક્ષેત્ર કહીએ. જે કાળે જે રીતે પરિણમે તેને કાળ કહીએ. તે પદાર્થનો જે કાંઈ નિજભાવ છે તેને ભાવ કહીએ. આ પોતાનાં ચતુષ્ટયની અપેક્ષાએ સર્વ પદાર્થ અસ્તિત્વરૂપ છે. અહીં દેવદત્તનાં પોતાનાં ચતુષ્ટય તો હતાં જ, પરંતુ નાસ્તિરૂપ જે કહ્યું તે જ અસત્ય વચન થયું. ૯૨.

આગળ બીજો ભેદ કહે છેઃ–

असदपि हि वस्तुरूपं यत्र परक्षेत्रकालभावैस्तैः।
उद्भाव्यते
द्वितीयं तदनृतमस्मिन् यथास्ति घटः।। ९३।।