Purusharth Siddhi Upay (Gujarati). Shlok: 97-99.

< Previous Page   Next Page >


Page 81 of 186
PDF/HTML Page 93 of 198

 

પુરુષાર્થસિદ્ધિઉપાય ] [ ૮૧

આગળ અવદ્યસંયુત જૂઠનું સ્વરૂપ લખે છેઃ–

छेदनभेदनमारणकर्षणवाणिज्यचौर्यवचनादि।
तत्सावद्यं
यस्मात्प्राणिवधाद्याः प्रवर्तन्ते।। ९७।।

અન્વયાર્થઃ– [यत्] જે [छेदनभेदनमारणकर्षणवाणिज्यचौर्यवचनादि] છેદન, ભેદન, મારણ, શોષણ અથવા વ્યાપાર કે ચોરી આદિના વચન છે [तत्] તે બધાં [सावद्यं] પાપયુક્ત વચન છે, [यस्मात्] કારણ કે એ [प्राणिवधाद्याः] પ્રાણીહિંસા વગેરે પાપરૂપે [प्रवर्तन्ते] પ્રવૃત્તિ કરે છે.

ટીકાઃ– ‘यत् छेदन भेदन मारण कर्षण वाणिज्य चौर्य वचनादि तत् सर्वं सावद्यं अस्ति यस्मात् प्राणिवधाद्याः प्रवर्तन्ते’– અર્થઃ– જે નાક વગેરે છેદવાનું વચન, કાપવાનું, મારવાનું, ખેંચવાનું, વ્યાપાર કરવાનું ચોરી કરવાનું વગેરે વચન કહેવાં તે બધું અવદ્યસહિત જૂઠનું સ્વરૂપ છે. એનાથી પ્રાણીઓનો ઘાત થાય છે. ૯૭.

આગળ અપ્રિય જૂઠનું સ્વરૂપ કહે છેઃ–

अरतिकरं भीतिकरं खेदकरं वैरशोककलहकरम्।
यदपरमपि तापकरं परस्य
तत्सर्वमप्रियं ज्ञेयम्।। ९८।।

અન્વયાર્થઃ– [यत्] જે વચન [परस्य] બીજા જીવને [अरतिकरं] અપ્રીતિ કરનાર, [भीतिकरं] ભય ઉત્પન્ન કરનાર, [खेदकरं] ખેદ કરનાર, [वैरशोककलहकरं] વેર શોક અને કજિયો કરાવનાર હોય તથા જે [अपरमपि] બીજા પણ [तापकरं] સંતાપોને કરાવનારું હોય [तत्] તે [सर्वं] બધું જ [अप्रियम्] અપ્રિય [ज्ञेयम्] જાણવું.

ટીકાઃ– ‘यत् वचनं परस्य अरतिकरं भीतिकरं खेदकरं वैरशोककलहकरं तथा अपरमपि तापकरं तत्सर्वं अप्रियं ज्ञेयम्’– અર્થઃ– જે વચન બીજાને અરતિ કરનાર અર્થાત્ બૂરું લાગે તેવું હોય, ભય ઉપજાવનાર હોય, ખેદ ઉત્પન્ન કરનાર હોય, તથા વેરશોક અને કલહ કરવાવાળું હોય તથા બીજું જે દુઃખ તે ઉત્પન્ન કરનાર હોય તે સર્વ વચન અપ્રિય જૂઠનો ભેદ છે. ૯૮.

જૂઠ વચનમાં હિંસાનો સદ્ભાવ

सर्वस्मिन्नप्यस्मिन्प्रमत्तयोगैकहेतुकथनं यत्।
अनृतवचनेऽपि तस्मान्नियतं हिंसा समवतरति।। ९९।।