પુરુષાર્થસિદ્ધિઉપાય ] [ ૮૩
અન્વયાર્થઃ– [य] જે જીવ [भोगोपभोगसाधनमात्रं] ભોગ–ઉપભોગના સાધન માત્ર [सावद्यम्] સાવદ્યવચન [मोक्तुम्] છોડવાને [अक्षमाः] અસમર્થ છે [ते अपि] તેઓ પણ [शेषम्] બાકીના [समस्तमपि] સમસ્ત [अनृतं] અસત્ય ભાષણનો [नित्यमेव] નિરંતર [मुञ्चन्तु] ત્યાગ કરે.
ટીકાઃ– ‘ये अपि भोगोपभोगसाधनमात्रं सावद्यं मोक्तुम् अक्षमाः (सन्ति) ते अपि शेषं समस्तम् अपि अनृतम् नित्यं एव मुञ्चन्तुं’– અર્થઃ– જે પ્રાણી પોતાના ન્યાયપૂર્વકના જે ભોગ– ઉપભોગ તેના કારણભૂત જે સાવદ્ય (હિંસાસહિત) વચન ત્યાગવાને અસમર્થ છે તેઓએ બીજાં બધાં જૂઠ વચનોનો હંમેશા ત્યાગ કરવો જોઈએ.
ભાવાર્થઃ– જૂઠનો ત્યાગ બે પ્રકારે છે. એક સર્વથા ત્યાગ, બીજો એકદેશ ત્યાગ. સર્વથા ત્યાગ તો મુનિધર્મમાં જ બને છે તથા એકદેશ ત્યાગ શ્રાવકધર્મમાં હોય છે. જો સર્વથા ત્યાગ બની શકે તો ઉત્તમ જ છે, કદાચ કષાયના ઉદયથી (અર્થાત્ કષાયવશ) સર્વથા ત્યાગ ન બને તો એકદેશ ત્યાગ તો અવશ્ય જ કરવો જોઈએ. કારણ કે શ્રાવક અવસ્થામાં અન્ય જૂઠના સર્વ ભેદોનો ત્યાગ કરે છે પણ સાવદ્ય જૂઠનો ત્યાગ કરી શકે નહિ, તો ત્યાં પણ પોતાના ભોગ–ઉપભોગના નિમિત્તે જ સાવદ્ય જૂઠ બોલે, પ્રયોજન વિના બોલે નહિ. ૧૦૧.
અન્વયાર્થઃ– [यत्] જે [प्रमत्तयोगात्] પ્રમાદકષાયના યોગથી [अवितीर्णस्य] આપ્યા વિના [परिग्रहस्य] સુવર્ણ વસ્ત્રાદિ પરિગ્રહનું [ग्रहणं] ગ્રહણ કરે છે [तत्] તેને [स्तेयं] ચોરી [प्रत्येयं] જાણવી જોઈએ. [च] અને [सा एव] તે જ [वधस्य] વધનું [हेतुत्वात्] કારણ હોવાથી [हिंसा] હિંસા છે.
ટીકાઃ– ‘यत् प्रमत्तयोगात् अवितीर्णस्य परिग्रहस्य ग्रहणं तत् स्तेयं प्रत्येयं, च सैव हिंसा (भवति) वधस्य हेतुत्वात्’– અર્થઃ– જે પ્રમાદના યોગથી દીધા વિના