Purusharth Siddhi Upay (Gujarati). Shlok: 105.

< Previous Page   Next Page >


Page 85 of 186
PDF/HTML Page 97 of 198

 

પુરુષાર્થસિદ્ધિઉપાય ] [ ૮પ

અન્વયાર્થઃ– [हिंसायाः] હિંસામાં [च] અને [स्तेयस्य] ચોરીમાં [अव्याप्तिः] અવ્યાપ્તિદોષ [न] નથી, [सा सुघटमेव] તે હિંસા બરાબર ઘટે છે, [यस्मात्] કારણ કે [अन्यैः] બીજાના [स्वीकृतस्य] સ્વીકારેલા [द्रव्यस्य] દ્રવ્યના [ग्रहणे] ગ્રહણમાં [प्रमत्तयोगः] પ્રમાદનો યોગ છે.

ટીકાઃ– ‘हिंसायाः स्तेयस्य अव्याप्तिः न सा सुघटमेव यस्मात् अन्यैः स्वीकृतस्य द्रव्यस्य ग्रहणे प्रमत्तयोगः भवति’– અર્થઃ– હિંસામાં અને ચોરીમાં અવ્યાપકપણું નથી પણ સારી રીતે વ્યાપકપણું છે. કેમકે બીજા એ મેળવેલા પદાર્થમાં પોતાપણાની કલ્પના કરવી તેમાં પ્રમાદયોગ જ મુખ્ય કારણ છે.

ભાવાર્થઃ– જો કોઈ જીવને કોઈ કાળે (–જે સમયે) જ્યાં ચોરી છે ત્યાં હિંસા ન હોય તો અવ્યાપ્તિ નામ પામે, પણ પ્રમાદ વિના તો ચોરી બને નહિ. પ્રમાદનું નામ જ હિંસા છે અને ચોરીમાં પ્રમાદ અવશ્ય છે. માટે એમ સિદ્ધ થયું કે જ્યાં જ્યાં ચોરી છે ત્યાં ત્યાં અવશ્ય જ હિંસા છે. ૧૦૪.

હિંસા અને ચોરીમાં અતિવ્યાપ્તિ પણ નથીઃ–

नातिव्याप्तिश्चः तयोः प्रमत्तयोगैककारणविरोधात्।
अपि
कर्म्मानुग्रहणे नीरागाणामविद्यमानत्वात्।। १०५।।

અન્વયાર્થઃ– [च] અને [नीरागाणाम्] વીતરાગી પુરુષોને [प्रमत्तयोगैककारण– विरोधात्] પ્રમાદયોગરૂપ એક કારણના વિરોધથી [कर्म्मानुग्रहणे] દ્રવ્યકર્મ નોકર્મની કર્મવર્ગણાઓ ગ્રહણ કરવામાં [अपि] નિશ્ચયથી [स्तेयस्य] ચોરી [अविद्यमानत्वात्] ઉપસ્થિત ન હોવાથી [तयोः] તે બન્નેમાં અર્થાત્ હિંસા અને ચોરીમાં [अतिव्याप्तिः] અતિવ્યાપ્તિ પણ [न] નથી.

ટીકાઃ– ‘च तयोः (हिंसा स्तेययोः) अतिव्याप्तिः च न अस्ति यतः नीरागाणां प्रमत्तयोगैककारण विरोधात् कर्मानुग्रहणे अपि हिंसायाः अविद्यमानत्वात्’– અર્થઃ– હિંસા અને ચોરીમાં અતિવ્યાપ્તિપણું પણ નથી, અર્થાત્ ચોરી હોય અને હિંસા ન થાય એમ નથી. તથા હિંસા હોય અને ચોરી ન હોય એમ પણ નથી કેમકે વીતરાગી મહાપુરુષોને પ્રમાદસહિત યોગનું કારણ નથી, તે કારણે દ્રવ્યકર્મ–નોકર્મની વર્ગણાઓનું ગ્રહણ હોવા છતાં પણ ચોરીનો સદ્ભાવ નથી, પ્રમાદ ન હોવાથી, દીધા વિના વસ્તુનું ગ્રહણ તે ચોરી છે. વીતરાગી અર્હંત ભગવાનને કર્મ–નોકર્મ વર્ગણાઓનું ગ્રહણ