Purusharth Siddhi Upay (Gujarati). Shlok: 108.

< Previous Page   Next Page >


Page 87 of 186
PDF/HTML Page 99 of 198

 

પુરુષાર્થસિદ્ધિઉપાય ] [ ૮૭

અન્વયાર્થઃ– [यत्] જે [वेदरागयोगात्] વેદના રાગરૂપ યોગથી [मैथुनं] સ્ત્રી– પુરુષોનો સહવાસ [अभिधीयते] કહેવામાં આવે છે [तत्] તે [अब्रह्म] અબ્રહ્મ છે અને [तत्र] તે સહવાસમાં [वधस्य] પ્રાણિવધનો [सर्वत्र] સર્વસ્થાનમાં [सद्भावात्] સદ્ભાવ હોવાથી [हिंसा] હિંસા [अवतरित] થાય છે.

ટીકાઃ– ‘यत् वेदरागयोगात् मैथुनं अभिधीयते तत् अब्रह्म भवति तत्र हिंसा अवतरति (यतः) सर्वत्र वधस्य सद्भावात्’– જે પુરુષવેદ, સ્ત્રીવેદ અને નપુંસકવેદના પરિણમનરૂપ રાગભાવ સહિતના યોગથી મૈથુન અર્થાત્ સ્ત્રી–પુરુષે મળીને કામસેવન કરવું તે કુશીલ છે. તે કુશીલમાં હિંસા ઉત્પન્ન થાય છે કારણ કે કુશીલ કરનાર અને કરાવનારને સર્વત્ર હિંસાનો સદ્ભાવ છે.

ભાવાર્થઃ– સ્ત્રીની યોનિ, નાભિ, કુચ અને કાંખમાં મનુષ્યાકારના અસંજ્ઞી પંચેન્દ્રિય જીવ ઉત્પન્ન થાય છે, તેથી સ્ત્રી સાથે સહવાસ કરવાથી દ્રવ્યહિંસા થાય છે અને સ્ત્રી–પુરુષ બન્નેને કામરૂપ પરિણામ થાય છે તેથી ભાવહિંસા થાય છે. શરીરની શિથિલતાદિના નિમિત્તે પોતાના દ્રવ્યપ્રાણનો ઘાત થાય છે. પર જીવ સ્ત્રી કે પુરુષના વિકાર પરિણામનું કારણ છે અથવા તેને પીડા ઊપજે છે, તેના પરિણામ વિકારી થાય છે તેથી અન્ય જીવના ભાવપ્રાણનો ઘાત થાય છે. વળી મૈથુનમાં ઘણાં જીવો મરે છે, એ રીતે અન્ય જીવના દ્રવ્યપ્રાણનો ઘાત થાય છે. ૧૦૭.

મૈથુનમાં પ્રગટરૂપ હિંસા છેઃ–

हिंस्यन्ते तिलनाल्यां तप्तायसि विनिहिते तिला यद्वत्।
बहवो
जीवा योनौ हिंस्यन्ते मैथुने तद्वत्।। १०८।।

અન્વયાર્થઃ– [यद्वत्] જેમ [तिलनाल्यां] તલની નળીમાં [तप्तायसि विनिहिते] તપેલા લોખંડનો સળિયો નાખવાથી [तिलाः] તલ [हिंस्यन्ते] બળી જાય છે [तद्वत्] તેમ [मैथुने] મૈથુન વખતે [योनौ] યોનિમાં પણ [बहवो जीवाः] ઘણા જીવો [हिंस्यन्ते] મરે છે.

ટીકાઃ– ‘यद्वत् तिलनाल्यां तप्तायसि विनिहिते (सति) तिलाः हिंस्यन्ते तद्वत् योनौ मैथुने (कृते सति) बहवो जीवाः हिंस्यन्ते’– જેમ તલથી ભરેલી નળીમાં તપાવેલો લોખંડનો સળિયો નાખવાથી તે નળીના બધા તલ બળી જાય છે તેમ સ્ત્રીના અંગમાં પુરુષનાં અંગથી મૈથુન કરવામાં આવતાં યોનિગત જે જીવો હોય છે તે બધા તરત જ મરણ પામે છે એ જ પ્રગટરૂપે દ્રવ્યહિંસા છે. ૧૦૮.