Ratnakarand Shravakachar (Gujarati). Shlok: 29 dharm-adhramanu phaL.

< Previous Page   Next Page >


Page 79 of 315
PDF/HTML Page 103 of 339

 

કહાનજૈનશાસ્ત્રમાળા ]

રત્નકરંડક શ્રાવકાચાર
[ ૮૯

‘सम्यग्दर्शनसम्पन्नं’ सम्यग्दर्शनेन सम्पन्नं युक्तं अतएव ‘भस्मगूढाङ्गारान्तरौजसं’ भस्मना गूढः प्रच्छादितः स चासावङ्गारश्च तस्य अन्तरं मध्यं तत्रैव ओजः प्रकाशो निर्मलता यस्य ।।२८।।

एकस्य धर्मस्य विविधं फलं प्रकाश्येदानीमुभयोर्धर्माधर्मयोर्यथाक्रमं फलं दर्शयन्नाह

श्वापि देवोऽपि देवः श्वा जायते धर्मकिल्विषात्
कापि नाम भवेदन्या सम्पद्धर्माच्छरीरिणाम् ।।२९।।

‘श्वापि’ कुक्करोऽपि ‘देवो’ जायते ‘देवोऽपि’ देवः ‘श्वा’ जायते कस्मात् ? ચાંડાલને પણ. કેવા (ચાંડાલને)? सम्यग्दर्शनसंपन्नम्’ સમ્યગ્દર્શનથી યુક્ત એવા, તેથી જ भस्मगूढांगारान्तरौजसम्’ જે ભસ્મથી ઢંકાયેલા અંગારાની માફક અંદરમાં પ્રકાશવાળો અર્થાત્ નિર્મળતાવાળો છે એવા.

ભાવાર્થ :અહીં ઉપમાઉપમેય ભાવથી કથન છે. ભસ્મસમાન ચાંડાલનું શરીર છે, અંગાર (અગ્નિ) સમાન જીવ છે અને પ્રકાશ સમાન સમ્યગ્દર્શન છે. ભસ્મ, અંગાર અને પ્રકાશ તે ઉપમા છે અને શરીર, જીવ અને સમ્યગ્દર્શનતે ઉપમેય છે. ભસ્મથી આચ્છાદિત અગ્નિના તેજ સમાન સમ્યગ્દર્શનયુક્ત ચાંડાલના દેહધારી જીવને પણ ‘દેવ’ કહે છે; કેમ કે તેને સાચા સમ્યગ્દર્શનરૂપ દિવ્યશક્તિ પ્રગટ થઈ છે. ૨૮.

(અત્યાર સુધી સમ્યગ્દ્રષ્ટિના) એક ધર્મનું (શુભ ભાવનું) વિવિધ ફળ પ્રકાશીને હવે ધર્મ અને અધર્મ બંનેનું યથાક્રમે ફળ દર્શાવતાં કહે છે

ધાર્મઅધાર્મનું ફળ
શ્લોક ૨૯

અન્વયાર્થ :[धर्मकिल्विषात् ] ધર્મથી અને પાપથી (અનુક્રમે) [श्वापि ] કૂતરો પણ [देवः ] દેવ અને [देवः ] દેવ પણ [श्वा ] કૂતરો [जायते ] થાય છે; [नाम ] ખરેખર [धर्मात् ] ધર્મથી [शरीरिणाम् ] પ્રાણીઓનેસંસારી જીવોને, [कापि अन्या ] કોઈક અદ્વિતીય [सम्पद् ] સંપત્તિ [भवेत् ] પ્રાપ્ત થાય છે.

ટીકા :श्वापि’ કૂતરો પણ देवः’ દેવ जायते’ થાય છે. देवोऽपि’ દેવ પણ