Ratnakarand Shravakachar (Gujarati).

< Previous Page   Next Page >


Page 84 of 315
PDF/HTML Page 108 of 339

 

૯૪ ]

રત્નકરંડક શ્રાવકાચાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-

‘दर्शनं’ कर्तु ‘उपाश्नुते’ प्राप्नोति कं ? ‘साधिमानं’ साधुत्वमुत्कृष्टत्वं वा कस्मात् ? ज्ञानचारित्रात् यतश्च साधिमानं तस्माद्दर्शनमुपाश्नुते ‘तत्’ तस्मात् ‘मोक्षमार्गे’ रत्नत्रयात्मके ‘दर्शनं कर्णधारं’ प्रधानं प्रचक्षते यथैव हि कर्णधारस्य नौखेवटकस्य कैवर्तकस्याधीना समुद्रपरतीरगमने नावः प्रवृत्तिः तथा संसारसमुद्रपर्यंतगमने सम्यग्दर्शनकर्णधाराधीना मोक्षमार्गनावः प्रवृत्तिः ।।३१।।

ટીકા :दर्शनं’ સમ્યગ્દર્શન (કર્તા ) उपाश्नुते’ પ્રાપ્ત છે. કોને? साधिमानं’ સમીચીનપણાનેઉત્કૃષ્ટપણાને. કોનાથી? ज्ञानचारित्रात्’જ્ઞાન અને ચારિત્રથી (અર્થાત્ સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન અને સમ્યક્ચારિત્ર કરતાં ઉત્કૃષ્ટતાને પ્રાપ્ત છે.) तत्’તેથી मोक्षमार्गे’ રત્નત્રયાત્મક મોક્ષમાર્ગમાં दर्शनं कर्णधारं’ સમ્યગ્દર્શન કર્ણધાર અથવા પ્રધાન प्रचक्षते’ કહેવાય છે. કર્ણધાર (ખેવટિયા)ની નૌકાની જેમ; અર્થાત્ જેમ સમુદ્રમાં બીજે કાંઠે જવામાં નૌકાની (નાવની) પ્રવૃત્તિ તેના ચલાવનાર ખેવટિયાને આધીન છે, તેમ સંસાર - સમુદ્રને પાર કરવામાં મોક્ષમાર્ગરૂપ નાવની પ્રવૃત્તિ સમ્યગ્દર્શનરૂપ કર્ણધારને (ખેવટિયાને) આધીન છે.

ભાવાર્થ :જેમ નાવની પ્રવૃત્તિ તેના ચલાવનાર ખેવટિયાને આધીન છે, અર્થાત્ નાવને સમુદ્રના અન્ય તટે લઈ જવામાં ખેવટિયો જ મુખ્ય છે, તેમ સંસાર - સમુદ્રને પાર કરવામાં મોક્ષમાર્ગરૂપી નૌકાની (નાવની) પ્રવૃત્તિ સમ્યગ્દર્શનરૂપી ખેવટિયાને આધીન હોય છે. તેથી મોક્ષમાર્ગમાં સમ્યગ્દર્શન જ મુખ્ય (ઉત્કૃષ્ટ) છે, અર્થાત્ જ્ઞાન અને ચારિત્રથી સમ્યક્ત્વની ઉત્તમતા છે.

વિશેષ

પં. દોલતરામજીએ ‘છઢાળા’માં કહ્યું છે કે

मोक्षमहलकी परथम सीढी, या बिन ज्ञान चरित्रा
सम्यक्ता न लहै, सो दर्शन धारो भव्य पवित्रा ।। (ढाळ ३१७.)

‘‘સમ્યગ્દર્શન જ મોક્ષ - મહેલની પ્રથમ સીડી છે. તે વિના જ્ઞાન અને ચારિત્ર મિથ્યા હોય છે. તે સમ્યક્ (સાચાં) મનાતાં નથી, માટે હે ભવ્ય! પવિત્ર સમ્યગ્દર્શનને ધારણ કરો.’’

વળી કહ્યું છે કે

तीनलोक तिहुंकाल मांहि नहिं, दर्शन सौ सुखकारी
सकल धरमको मूल यही, इस बिन करनी दुखकारी ।। (३१६)