Ratnakarand Shravakachar (Gujarati). Shlok: 35 samyagdrashti jiv kya upajato naThi.

< Previous Page   Next Page >


Page 93 of 315
PDF/HTML Page 117 of 339

 

કહાનજૈનશાસ્ત્રમાળા ]

રત્નકરંડક શ્રાવકાચાર
[ ૧૦૩

इतोऽपि सद्दर्शनमेव ज्ञानचारित्राभ्यामुत्कृष्टमित्याह

(आर्यागीतिछन्दः)

सम्यग्दर्शनशुद्धा नारकतिर्यङ्नपुंसकस्त्रीत्वानि

दुष्कुलविकृताल्पायुर्दरिद्रतां च वज्रन्ति नाप्यव्रतिकाः ।।३५।।

ભાવાર્થ :ત્રણ કાળ અને ત્રણ લોકમાં સમ્યક્ત્વ સમાન કોઈ પદાર્થ સંસારી જીવોને કલ્યાણકારી નથી; અર્થાત્ ઇન્દ્ર, અહમિન્દ્ર, ભુવનેન્દ્ર, ચક્રી, નારાયણ, બલભદ્ર અને તીર્થંકરાદિક સમસ્ત ચેતન પદાર્થો અને મણિમંત્ર, ઔષધાદિક સમસ્ત અચેતન પદાર્થો સમ્યક્ત્વ સમાન ઉપકારક નથી, કારણ કે તેના સદ્ભાવમાં અવ્રતી ગૃહસ્થ પણ દ્રવ્યલિંગી મુનિ કરતાં ઉત્તમ ગણાય છે. વળી અવ્રતી સમ્યગ્દ્રષ્ટિ દેવમનુષ્યના થોડાક ભવ કરીઅર્થાત્ સ્વર્ગાદિકનાં સુખ ભોગવી, નિયમથી મોક્ષ પામે છે; અને મિથ્યાત્વ સમાન કોઈ પદાર્થ જીવને અકલ્યાણકારી નથી, કારણ કે તેના સદ્ભાવમાં મહાવ્રતધારી દ્રવ્યલિંગી મુનિ પણ અવ્રતી સમ્યગ્દ્રષ્ટિ ગૃહસ્થથી હીન મનાય છે.

વળી દોલતરામજી કૃત ‘છઢાળા’માં કહ્યું છે કે

तीनलोक तिहुंकालमांहि नहिं दर्शन सौ सुखकारी ।
सकल धरमको मूल यही इस बिन करनी दुःखकारी ।। (छहढाला ३
/१६)

ત્રણ લોક અને ત્રણ કાળમાં સમ્યક્ત્વ સમાન અન્ય કોઈ સુખકારી નથી, તે સર્વ ધર્મોનું મૂળ છે, તેના વિના સર્વ જ્ઞાન, વ્રત, ક્રિયાબધું વૃથા છે અને દુઃખનું કારણ છે.

તેથી મોક્ષમાર્ગમાં સમ્યક્ત્વની જ ઉત્તમતા છે. ૩૪. આથી પણ સમ્યગ્દર્શન જ જ્ઞાન અને ચારિત્રથી ઉત્કૃષ્ટ છે એમ કહે છે

સમ્યગ્દ્રષ્ટિ જીવ સમ્યગ્દ્રષ્ટિ જીવ કકાાં કાાં ©પજતો નથી?ાાં કાાં ©પજતો નથી?
શ્લોક ૩૫

અન્વયાર્થ :[सम्यग्दर्शनशुद्धाः ] સમ્યગ્દર્શનથી શુદ્ધ (સમ્યગ્દ્રષ્ટિ) જીવો [अव्रतिकाः ] વ્રત રહિત હોવા છતાં પણ [नारकतिर्यङ्नपुंसकस्त्रीत्वानि ] નારકપણાને, તિર્યંચપણાને, નપુંસકપણાને અને સ્ત્રીપણાને તથા [दुष्कुलविकृताल्पायुर्दरिद्रताम् ] નીચકુલીનતાને, શરીરની બેડોળતાને, અલ્પાયુતાને અને દરિદ્રતાને [न व्रजन्ति ] પ્રાપ્ત