Ratnakarand Shravakachar (Gujarati). Shlok: 36 samyagdrashti bija bhAvma mahApurush bane chhe.

< Previous Page   Next Page >


Page 97 of 315
PDF/HTML Page 121 of 339

 

કહાનજૈનશાસ્ત્રમાળા ]

રત્નકરંડક શ્રાવકાચાર
[ ૧૦૭

यद्येतत्सर्वं न व्रजन्ति तर्हि भवान्तरे कीदृशास्ते भवन्तीत्याह

ओजस्तेजोविद्यावीर्य्यशोवृद्धिविजयविभवसनाथाः

माहाकुला महार्था मानवतिलका भवन्ति दर्शनपूताः ।।३६।।

‘दर्शनपूताः’ दर्शनेन पूताः पवित्रिताः दर्शनं वा पूतं पवित्रं येषां ते ‘भवन्ति’ ‘मानवतिलकाः’ मानवानां मनुष्याणां तिलका मण्डनीभूता मनुष्यप्रधाना इत्यर्थः पुनरपि कथंभूता इत्याह ‘ओज’ इत्यादि ओज उत्साहः तेजः प्रतापः कान्तिर्वा, विद्या सहजा अहार्या च बुद्धिः, वीर्यं विशिष्टं सामर्थ्यं, यशो विशिष्टा ख्यातिः वृद्धिः कलत्रपुत्रपौत्रादिसम्पत्तिः, विजयः पराभिभवेनात्मनो गुणोत्कर्षंः, विभवो વિશિષ્ટ ભેદજ્ઞાનના બળથી નરકગતિના કારણભૂત તીવ્ર સંકલેશ પરિણામોનો અભાવ હોય છે.’’ ૩૫

જો (સમ્યગ્દ્રષ્ટિ જીવો) એ બધાને (નારકી આદિ અવસ્થાને) પ્રાપ્ત કરતા નથી તો અન્ય ભવમાં તેઓ કેવા હોય છેકેવા થાય છે? તે કહે છે

સમ્યગ્દ્રષ્ટિ બીજા ભવમાં મહાપુરુષ બને છે
શ્લોક ૩૬

અન્વયાર્થ :[दर्शनपूताः ] શુદ્ધ સમ્યગ્દ્રષ્ટિ જીવો (સમ્યક્ત્વથી શુદ્ધપવિત્ર થયેલા જીવો) [ओजस्तेजोविद्यावीर्ययशोवृद्धिविजयविभवसनाथाः ] ઉત્સાહ, પ્રતાપ (કાંતિ), વિદ્યા, બલ, કીર્તિ, ઉન્નતિ, વિજય અને સંપત્તિ સહિત [माहाकुलाः ] ઉચ્ચ કુળવાળા [च ] અને [महार्थाः ] મહાપુરુષાર્થોના સાધક [मानवतिलका ] મનુષ્યોમાં શિરોમણિ [भवन्ति ] થાય છે.

ટીકા :दर्शनपूताः’ જેઓ સમ્યગ્દર્શનથી પવિત્ર છે એવા અર્થાત્ જેમનું સમ્યગ્દર્શન પવિત્ર (શુદ્ધ) છે એવા શુદ્ધ સમ્યગ્દ્રષ્ટિ જીવો, मानवतिलकाः’ મનુષ્યોના તિલકશોભારૂપ થાય છેમનુષ્યોમાં પ્રધાન (મુખ્ય) થાય છે. વળી શુદ્ધ સમ્યગ્દ્રષ્ટિ જીવો કેવા છે તે કહે છેओज’ ઇત્યાદિ, ओजस्’ ઉત્સાહ, तेजः’ પ્રતાપ (કાન્તિ), विद्या’ સહજ અહાર્ય (અતિશયરૂપ) બુદ્ધિ, वीर्यं’ વિશિષ્ટ બળસામર્થ્ય, यशो’ વિશિષ્ટ ખ્યાતિ, वृद्धः’ સ્ત્રીપૌત્રાદિરૂપ સંપત્તિ, विजयः’ પરના પરાભવથી પોતાના ગુણોનો ઉત્કર્ષ અને