કહાનજૈનશાસ્ત્રમાળા ]
यत्प्राक् प्रत्येकं श्लोकैः सम्यग्दर्शनस्य फलमुक्तं तद्दर्शनाधिकारस्य समाप्तौ संग्रहवृत्तेनोपसंहृत्य प्रतिपादयन्नाह —
राजेन्द्रचक्रमवनीन्द्रशिरोर्चनीयम् ।
लब्ध्वा शिवं च जिनभक्तिरुपैति भव्यः ।४१।
‘शिवं’ मोक्षं । ‘उपैति’ प्राप्नोति । कोऽसौ ? ‘भव्यः’ सम्यग्दृष्टिः । कथंभूतः ? ‘जिनभक्तिः’ जिने भक्तिर्यस्य । किं कृत्वा ? ‘लब्ध्वा’ । कं ? ‘देवेन्द्रचक्रमहिमानं’ देवानामिन्द्रा देवेन्द्रास्तेषां चक्रं संघातस्तत्र तस्य वा महिमानं विभूतिमाहात्म्यं । कथंभूतं ? ‘अमेयमानं’ अमेयोअपर्यन्तं मानं पूजा ज्ञानं वा यस्य तममेयमानं । तथा ‘राजेन्द्रचक्रं’
પૂર્વે પ્રત્યેક શ્લોક દ્વારા જે સમ્યગ્દર્શનનું ફળ કહ્યું તે સમ્યગ્દર્શનનો અધિકાર સમાપ્ત કરતાં સંગ્રહ વૃત્તિથી (સંક્ષેપરૂપે) ઉપસંહાર કરી પ્રતિપાદન કરતાં કહે છે —
અન્વયાર્થ : — [जिनभक्तिः ] જિનેન્દ્રની ભક્તિવાળો જિનભક્ત [भव्यः ] ભવ્ય (સમ્યગ્દ્રષ્ટિ જીવ) [अमेयमानम् ] અપરિમિત પ્રતિષ્ઠા અથવા જ્ઞાન સહિત [देवेन्द्रचक्रमहिमानम् ] દેવેન્દ્રોના સમૂહના મહિમાને (ઐશ્વર્યને), [अवनीन्द्रशिरोर्चनीयम् ] રાજાઓના મસ્તક દ્વારા પૂજનીય [राजेन्द्रचक्रम् ] ચક્રવર્તીના ચક્રરત્નને [च ] અને [अधरीकृतसर्वलोकम् ] સર્વ લોકને જેણે નીચાં કરી દીધાં છે અર્થાત્ સર્વ લોકમાં જે ઉત્તમ છે તેવા [धर्मेन्द्रचक्रम् ] ધર્મેન્દ્રના (તીર્થંકરના) ચક્રને (પદને) [लब्ध्वा ] પ્રાપ્ત કરી [शिवम् ] મોક્ષ [उपैति ] પામે છે.
ટીકા : — ‘जिनभक्तिः भव्यः शिवं उपैति’ જેને જિનેન્દ્રદેવમાં ભક્તિ છે તેવો સમ્યગ્દ્રષ્ટિ જીવ મોક્ષને પ્રાપ્ત કરે છે. તે શું – શું પ્રાપ્ત કરીને મોક્ષને પ્રાપ્ત કરે છે? देवेन्द्रचक्रमहिमानम्’ દેવોના ઇન્દ્રો તે દેવેન્દ્રો, તેના સમૂહના મહિમાને – વિભૂતિના માહાત્મ્યને પ્રાપ્ત કરે છે. ‘अमेयमानम्’ જેનું માન (જે માહાત્મ્યનો પ્રભાવ) – પૂજા, જ્ઞાન