Ratnakarand Shravakachar (Gujarati). Shlok: 44 karaNanuyoganu swarup.

< Previous Page   Next Page >


Page 115 of 315
PDF/HTML Page 139 of 339

 

કહાનજૈનશાસ્ત્રમાળા ]

રત્નકરંડક શ્રાવકાચાર
[ ૧૨૫

तथा

लोकालोकविभक्तेर्युगपरिवृत्तेश्चतुर्गतीनां च
आदर्शमिव तथामतिरवैति करणानुयोगं च ।।४४।।

‘‘વળી લોકમાં તો રાજાદિકની કથાઓમાં પાપ છોડવાનું વા પુણ્યનું પોષણ છે. ત્યાં રાજાદિક મહાપુરુષોની કથા સાંભળે છે, પરંતુ તેનું પ્રયોજન જ્યાંત્યાંથી પાપને છોડી ધર્મમાં લગાવવાનું પ્રગટ કર્યું છે. તેથી તે જીવ કથાઓની લાલચ વડે પણ તેને વાંચે સાંભળે તો પાછળથી પાપને બૂરું તથા ધર્મને ભલો ગણી ધર્મમાં રુચિવાન થાય છે. એ પ્રમાણે તુચ્છ બુદ્ધિવાનોને સમજાવવા માટે આ અનુયોગ છે......

‘‘વળી જે જીવોને તત્ત્વજ્ઞાન થયું હોય તેઓ આ અનુયોગ વાંચેસાંભળે તો તેમને આ ઉદાહરણરૂપ ભાસે છે. જેમ કે જીવ અનાદિનિધન છે તથા શરીરાદિ સંયોગી પદાર્થ છેએમ જાણતો હતો. હવે પુરાણાદિકમાં જીવોનાં ભવાન્તરનું નિરૂપણ કર્યું છે તે એ જાણવામાં ઉદાહરણરૂપ થયું.

‘‘વળી આ શુભઅશુભશુદ્ધોપયોગને જાણતો હતો, વા તેના ફળને જાણતો હતો. હવે પુરાણોમાં તે ઉપયોગોની પ્રવૃત્તિ તથા તેનું ફળ જીવોને જે થયું હોય તેનું નિરૂપણ કર્યું છે. એ જ આ જાણવામાં ઉદાહરણરૂપ થયું,.......

‘‘.......ધર્માત્મા છે તે, ધર્મીઓની પ્રશંસા અને પાપીઓની નિંદા જેમાં હોય એવી કોઈ પુરાણ પુરુષોની કથા સાંભળવાથી ધર્મમાં અતિ ઉત્સાહવાન થાય છે. એ પ્રમાણે આ પ્રથમાનુયોગનું પ્રયોજન જાણવું.’’ ૪૩.

૨. કરણાનુયોગનું સ્વરુપ
શ્લોક ૪૪

અન્વયાર્થ :[तथा ] તેવી જ રીતે (પ્રથમાનુયોગના પ્રકારે) [मतिः ] સમ્યગ્જ્ઞાન (મનનરૂપ શ્રુતજ્ઞાન) [आदर्शम् इव ] દર્પણની જેમ [लोकालोकविभक्तेः ] १. संपादनार्थमुपलब्धेषु पुस्तकेषु ‘क’ पुस्तके इतोग्रे इयं गाथा समुपलभ्यते ‘अह उड्ढतिरियलोए दिसि

विदिसि जं पमाणियं भणियं करणाणिउगं सिद्धं दीवसमुद्दा जिणग्गेहा’ गाथेयं करणानुयोगस्य
लक्षणपरा, केनचित् ‘लोकालोकेति श्लोकस्य टीकायामवतारिता, लेखकप्रमादेन च प्रथमानुयोगलक्षणे
संमिलिता भवेदिति प्रतिभाति