Ratnakarand Shravakachar (Gujarati).

< Previous Page   Next Page >


Page 122 of 315
PDF/HTML Page 146 of 339

 

૧૩૨ ]

રત્નકરંડક શ્રાવકાચાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-
इति प्रभाचन्द्रविरचितायां समन्तभद्रस्वामिविरचितोपासकाध्ययनटीकायां
द्वितीयः परिच्छेदः ।।।।

દ્રવ્યાનુયોગનો અભ્યાસ કર્યા કરે તો તે તત્ત્વજ્ઞાન ટકી રહે, ન કરે તો ભૂલી પણ જાય, અથવા સંક્ષેપતાથી તત્ત્વજ્ઞાન થયું હતું તે અહીં નાના યુક્તિહેતુદ્રષ્ટાન્તાદિ વડે સ્પષ્ટ થઈ જાય તો પછી તેમાં શિથિલતા થઈ શકે નહિ અને તેના અભ્યાસથી રાગાદિક ઘટવાથી અલ્પકાળમાં મોક્ષ સધાય. એ પ્રમાણે દ્રવ્યાનુયોગનું પ્રયોજન જાણવું......’’

‘‘શંકાઃદ્રવ્યાનુયોગરૂપ અધ્યાત્મ ઉપદેશ છે, તે ઉત્કૃષ્ટ છે અને તે ઉચ્ચ દશાને પ્રાપ્ત હોય તેને જ કાર્યકારી છે પણ નીચલી દશાવાળાઓને તો વ્રતસંયમાદિનો જ ઉપદેશ આપવો યોગ્ય છે.’’

‘‘સમાધાનઃજિનમતમાં તો એવી પરિપાટી છે કે પહેલાં સમ્યક્ત્વ હોય, પછી વ્રત હોય; હવે સમ્યક્ત્વ તો સ્વપરનું શ્રદ્ધાન થતાં થાય છે તથા તે શ્રદ્ધાન કરી સમ્યગ્દ્રષ્ટિ થાય અને ત્યાર પછી ચરણાનુયોગ અનુસાર વ્રતાદિક ધારણ કરી વ્રતી થાય. એ પ્રમાણે મુખ્યપણે તો નીચલી દશામાં જ દ્રવ્યાનુયોગ કાર્યકાર છે તથા ગૌણપણે જેને મોક્ષમાર્ગની પ્રાપ્તિ થતી ન જણાય તેને પહેલાં કોઈ વ્રતાદિકનો ઉપદેશ આપવામાં આવે છે માટે ઉચ્ચ દશાવાળાઓને અધ્યાત્મ ઉપદેશ અભ્યાસ કરવા યોગ્ય છેએમ જાણી નીચલી દશાવાળાઓએ ત્યાંથી પરાઙ્મુખ થવું યોગ્ય નથી.’’ ૪૬.

ઇતિ શ્રી સમન્તભદ્રસ્વામિ વિરચિત ઉપાસકાધ્યયનની
શ્રી પ્રભાચન્દ્ર વિરચિત ટીકાનો બીજો
પરિચ્છેદ પૂર્ણ થયો. ૨.

१. प्रशस्तिकेयं ख पुस्तके नास्ति ૨. મોક્ષમાર્ગ પ્રકાશકગુજરાતી આવૃત્તિપૃષ્ઠ ૨૭૪,

વધુ માટે જુઓ પૃષ્ઠ ૨૮૬ થી ૨૮૯, ૨૯૪, ૨૯૫.

૩. મોક્ષમાર્ગ પ્રકાશક પૃષ્ઠ ૨૯૪, ૨૯૫.