Ratnakarand Shravakachar (Gujarati). ChAritrAdhikAr Shlok: 47 charitra koN dhAraN kare chhe.

< Previous Page   Next Page >


Page 123 of 315
PDF/HTML Page 147 of 339

 

કહાનજૈનશાસ્ત્રમાળા ]

રત્નકરંડક શ્રાવકાચાર
[ ૧૩૩
ચારિત્રાધિાકાર

अथ चरित्ररूपं धर्मं व्याचिख्यासुराह

मोहतिमिरापहरणे दर्शनलाभादवाप्तसंज्ञानः
रागद्वेषनिवृत्त्यै चरणं प्रतिपद्यते साधुः ।।४७।।

‘चरणं’ हिंसादिनिवृत्तिलक्षणं चारित्रं ‘प्रतिपद्यते’ स्वीकरोति कोऽसौ ? ‘साधु’- र्भव्यः कथंभूतः ? ‘अवाप्तसंज्ञानः’ कस्मात् ? ‘दर्शनलाभात्’ तल्लाभोऽपि तस्य कस्मिन् सति संजातः ? ‘मोहतिमिरापहरणे’ मोहो दर्शनमोहः स एव तिमिरं तस्यापहरणे यथासम्भवमपशमे क्षये क्षयोपशमे वा अथवा मोहो दर्शनचारित्रमोहस्तिमिरं ज्ञानावरणादि

હવે ચારિત્રરૂપ ધર્મનું વ્યાખ્યાન કરવા ઇચ્છનાર કહે છે

શ્લોક ૪૭

અન્વયાર્થ :[मोहतिमिरापहरणे ] દર્શનમોહરૂપી અંધકાર દૂર થતાં [दर्शनलाभात् ] સમ્યગ્દર્શનની પ્રાપ્તિથી [अवाप्तसंज्ञानः ] જેને સમ્યગ્જ્ઞાન પ્રાપ્ત થયું છે તેવો [साधुः ] ભવ્ય જીવ, [रागद्वेषनिवृत्यै ] રાગદ્વેષની નિવૃતિ માટે (રાગ-દ્વેષને દૂર કરવા માટે) [चरणम् ] સમ્યક્ચારિત્ર [प्रतिपद्यते ] ધારણ કરે છે.

ટીકા :चरणं’ હિંસાદિથી નિવૃત્તિરૂપ ચારિત્રને प्रतिपद्यते’ સ્વીકારે છેધારણ કરે છે. કોણ તે? साधुः’ ભવ્ય જીવ, કેવો (ભવ્ય જીવ)? अवाप्तसंज्ञानंः’ જેને સમ્યગ્જ્ઞાન પ્રાપ્ત થયું છે તેવો. શાથી(શા કારણથી)? दर्शनलाभात्’ સમ્યગ્દર્શનની પ્રાપ્તિથી. તેની પ્રાપ્તિ પણ તેને શું થતાં થઈ? मोहतिमिरापहरणे’ મોહ એટલે દર્શનમોહ (દર્શનમોહરૂપી)અંધકારતે દૂર થતાં અર્થાત્ યથાસંભવ તેનો ઉપશમ, ક્ષય કે ક્ષયોપશમ થતાંઅથવા મોહ એટલે દર્શનચારિત્રમોહ અને તિમિર (અંધકાર) એટલે જ્ઞાનાવરણાદિ