Ratnakarand Shravakachar (Gujarati).

< Previous Page   Next Page >


Page 125 of 315
PDF/HTML Page 149 of 339

 

કહાનજૈનશાસ્ત્રમાળા ]

રત્નકરંડક શ્રાવકાચાર
[ ૧૩૫

तन्निवृत्तावेव हिंसादिनिवृत्तेः संभवादित्याह બંનેનો એકીસાથે આવિર્ભાવ થાય છે તેમ મિથ્યાત્વનો અભાવ થતાં જ સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાનનીબંનેની એક સાથે પ્રાપ્તિ થાય છે.

વિશેષ

જોકે સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન એકી સાથે (યુગપદ્) ઉત્પન્ન થાય છે, તોપણ તે બંને અલગઅલગ છે, કારણ કે બંનેના લક્ષણ ભિન્નભિન્ન છે. સમ્યગ્દર્શનનું લક્ષણ શ્રદ્ધાન કરવું અને સમ્યગ્જ્ઞાનનું લક્ષણ જાણવું તે છે અને તે બંનેમાં કારણકાર્ય ભાવનો પણ ભેદ છે. સમ્યગ્દર્શન કારણ છે અને સમ્યગ્જ્ઞાન કાર્ય છે. જેમ દીપકથી જ્યોતિ અને પ્રકાશ બંને એક સાથે પ્રગટ થાય છે, તોપણ લોકો કહે છે કે દીપકની જ્યોતિથી પ્રકાશ થાય છે, તેમ સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન પણ જોકે એક સાથે ઉત્પન્ન થાય છે, તોપણ તે બંનેમાં કારણકાર્યભાવ છે, અર્થાત્ સમ્યગ્દર્શનના નિમિત્તે સમ્યગ્જ્ઞાન ઉત્પન્ન થાય છે, જ્યાં સુધી સમ્યગ્દર્શન હોતું નથી ત્યાં સુધી સમ્યગ્જ્ઞાન કહેવાતું નથી. સમ્યગ્દર્શન કારણ અને સમ્યગ્જ્ઞાન કાર્ય છે. ૪૭.

તેમની (રાગદ્વેષાદિની) નિવૃત્તિ થતાં જ હિંસાદિની નિવૃત્તિ સંભવે છેએમ કહે છે १. यदाऽस्य दर्शनमोहस्योपशमात्क्षयोपशमाद्वा आत्मा सम्यग्दर्शनपर्यायेणाविर्भवति, तदैव तस्य मत्यज्ञान

श्रुताज्ञाननिवृत्तिपूर्वकं मतिज्ञानं श्रुतज्ञानं चाविर्भवति घनपटल विगमे सवितुः प्रताप-
प्रकाशाभिव्यक्तिवत् (सर्वार्थसिद्धि ११)

૨.સમ્યક્ સાથૈ જ્ઞાન હોય, પૈ ભિન્ન આરાધૌ,

લક્ષણ શ્રદ્ધા જાન, દુહૂમેં ભેદ અબાધૌ;

સમ્યક્ કારણ જાન, જ્ઞાન કારજ હૈ સોઈ,

યુગપત્ હોતે હૂ, પ્રકાશ દીપકતૈં હોઈ. ૧. (છહઢાળા ૧) ३. सम्यग्ज्ञानं कार्यं सम्यक्त्वं कारणं वदन्ति जनाः

ज्ञानाराधनमिष्टं सम्यक्त्वानन्तरं तस्मात् ।।३३।।
कारणकार्यविधानं समकालं जायमानयोरपि हि
दीपप्रकाशयोरिव सम्यक्त्वज्ञानयोः सुघटम् ।।३४।।
[पुरुषार्थसिद्धियुपायश्री अमृतचंद्राचार्य ]