Ratnakarand Shravakachar (Gujarati). Shlok: 50 chAritranA bhed.

< Previous Page   Next Page >


Page 130 of 315
PDF/HTML Page 154 of 339

 

૧૪૦ ]

રત્નકરંડક શ્રાવકાચાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-

तच्चेत्थंभूतं चारित्रं द्विधा भिद्यत इत्याह

सकलं विकलं चरणं तत्सकलं सर्वसंगविरतानाम्
अनगाराणां विकलं सागाराणां ससंगानाम् ।।५०।।

हिंसादिविरतिलक्षणं ‘यच्चरणं’ प्राक्प्ररूपितं तत् सकलं विकलं च भवति तत्र ‘सकलं’ परिपूर्णं महाव्रतरूपं केषां तद्भवति ? ‘अनगाराणां’ मुनीनां किंविष्टानां ‘सर्वसंगविरतानां’ बाह्याभ्यन्तरपरिग्रहरहितानां ‘विकलम’ परिपूर्णं अणुव्रतरूपं केषां तद्भवति ‘सागाराणां’ गृहस्थानां कथंभूतानां ? ‘ससंगानां’ सग्रन्थानाम् ।।५०।।

આવા ચારિત્રના બે પ્રકારે ભેદ પડે છેએમ કહે છે

ચારિત્રના ભેદ
શ્લોક ૫૦

અન્વયાર્થ :[तत् ] તે [चरणं ] ચારિત્ર [सकलं विकलं ] સકલચારિત્ર અને વિકલચારિત્રના ભેદથી બે પ્રકારનું છે. તેમાંથી [सकलं ] સકલચારિત્ર [सर्वसंगविरतानाम् ] સર્વ પરિગ્રહોથી રહિત, [अनगाराणाम् ] મુનિઓને હોય છે અને [विकलं ] વિકલચારિત્ર [ससंगानाम् ] પરિગ્રહયુક્ત [सागाराणां ] ગૃહસ્થીને હોય છે.

ટીકા :હિંસાદિથી વિરતિરૂપ यच्चरणम्’ જે ચારિત્ર પહેલાં પ્રરૂપ્યું (કહ્યું) તે सकलं विकलं’ સકલ અને વિકલએમ બે પ્રકારે છે. તેમાં सकलं’ સકલચારિત્ર પરિપૂર્ણ મહાવ્રતરૂપ છે. કોને તે હોય છે? अनागाराणाम्’ અનગારોનેમુનિઓને. કેવા (મુનિઓને)? सर्वसंगविरतानां’ સર્વ પરિગ્રહોથી વિરક્તબાહ્ય અને અભ્યન્તર પરિગ્રહોથી રહિત (મુનિઓને). विकलं’ વિકલચારિત્ર અપરિપૂર્ણ અણુવ્રતરૂપ છે. તે કોને હોય છે? सागाराणाम्’ સાગારોનેગૃહસ્થોને. કેવા (ગૃહસ્થોને)? ससंगानाम्’ સંગ પરિગ્રહ સહિત (પરિગ્રહએકદેશ બાહ્યઅભ્યંતર પરિગ્રહ સહિત).

ભાવાર્થ :આ અગાઉ હિંસાદિના ત્યાગરૂપ જે ચારિત્ર કહ્યું છે તેના બે પ્રકાર છેસકલચારિત્ર અને વિકલચારિત્ર. સકલ (સર્વદેશ) ચારિત્ર હિંસાદિના પરિપૂર્ણ ત્યાગરૂપ સર્વ વિરતિરૂપમહાવ્રતરૂપ હોય છે અને તે ક્ષેત્ર, વાસ્તુ, હિરણ્યાદિ દશ પ્રકારના બાહ્ય પરિગ્રહો અને મિથ્યાત્વ, કષાયાદિ ચૌદ પ્રકારના અભ્યન્તર પરિગ્રહોએમ ચોવીસ પરિગ્રહોથી રહિત મુનિઓને હોય છે. વિકલચારિત્ર હિંસાદિના એકદેશ વિરતિરૂપ