Ratnakarand Shravakachar (Gujarati). Shlok: 51 vikalchAritranA bhed.

< Previous Page   Next Page >


Page 131 of 315
PDF/HTML Page 155 of 339

 

કહાનજૈનશાસ્ત્રમાળા ]

રત્નકરંડક શ્રાવકાચાર
[ ૧૪૧

तत्र विकलमेव तावच्चारित्रं व्याचष्टे

गृहिणां त्रेधा तिष्ठत्यगणु - गुण - शिक्षाव्रतात्मकं चरणम्
पञ्च-त्रि - चतुर्भेद त्रयं यथासङ्ख्यमाख्यातम् ।।५१।।

ત્યાગરૂપઅણુવ્રતરૂપ હોય છે અને તે ગૃહાદિ એકદેશ પરિગ્રહ સહિત ગૃહસ્થોને હોય છે.

વિશેષ

જો મુનિ અભ્યંતર પરિગ્રહથી રહિત ન હોય અને માત્ર બાહ્ય પરિગ્રહથી જ રહિત હોય તો તેવા મુનિને મિથ્યાદ્રષ્ટિ દ્રવ્યલિંગી મુનિ કહ્યા છે.

પંચમ ગુણસ્થાનવર્તી શ્રાવકના સંબંધમાં પણ એમ જ સમજવું. જો તેને અભ્યંતર પરિગ્રહ અર્થાત્ મિથ્યાત્વ, અનંતાનુબંધી અને અપ્રત્યાખ્યાન સંબંધી ક્રોધમાનમાયાલોભ ન છૂટ્યાં હોય અને માત્ર બાહ્ય એકદેશ પરિગ્રહનો જ ત્યાગ હોય તો તે પણ મિથ્યાદ્રષ્ટિ દ્રવ્યલિંગી શ્રાવક કહેવાય છે.

શ્રી સમયસાર ગાથા ૪૧૪ની ટીકામાં શ્રી જયસેનાચાર્યે કહ્યું છે કે

‘‘........શાલિતંદુલને બહિરંગ તુષ વિદ્યમાન હોતાં, અભ્યંતર તુષનો ત્યાગ કરી શકાતો નથી. અભ્યંતર તુષનો ત્યાગ થતાં, બહિરંગ તુષનો ત્યાગ નિયમથી હોય છે જ. આ ન્યાયથી સર્વ સંગના પરિત્યાગરૂપ બહિરંગ દ્રવ્યલિંગ હોતાં, ભાવલિંગ હોય કે ન હોય, નિયમ નથી. પરંતુ અભ્યંતરમાં ભાવલિંગ હોતાં, સર્વ સંગના પરિત્યાગરૂપ દ્રવ્યલિંગ હોય જ છે......’’ ૫૦.

તેમાં પ્રથમ વિકલચારિત્ર કહે છે

વિકલચારિત્રના ભેદ
શ્લોક ૫૧

અન્વયાર્થ :[गृहिणाम् ] ગૃહસ્થોનું [चरणं ] (વિકલ) ચારિત્ર १. तद इति ग पुस्तके २. ‘‘न हि शालितंदुलस्य बहिरंगतुषे विद्यमाने सत्यभ्यंतरतुषस्य त्यागः कर्तृमायाति अभ्यंतरतुषत्यागे

सति बहिरंग तुषत्यागो नियमेन भवत्येव अनेन न्यायेन सर्वसंगपरित्यागरूपे बहिरंग द्रव्यलिंगे सति
भावलिंगं भवति न भवति वा नियमो नास्ति, अभ्यंतरे तु भावलिंगे सति सर्वसंगपरित्यागरूपं द्रव्यलिंगं
भवत्येवेति.......’’
(श्री समयसार गाथा ४१४ श्री जयसेनाचार्यकृत टीका पृष्ठ ५३९)