Ratnakarand Shravakachar (Gujarati).

< Previous Page   Next Page >


Page 136 of 315
PDF/HTML Page 160 of 339

 

૧૪૬ ]

રત્નકરંડક શ્રાવકાચાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-

‘चरसत्त्वान्’ त्रसजीवान् ‘यन्न हिनस्ति’ तदाहुः ‘स्थूलवधाद्विरमणं’ के ते ? ‘निपुणाः’ हिंसादिविरतिव्रतविचारदक्षाः कस्मान्न हिनस्ति ? ‘संकल्पात्’ संकल्पं हिंसाभिसंधिमाश्रित्य कथंभूतात् संकल्पात् ? ‘कृतकारितानुमननात्’ कृतकारितानुमनन- रूपात् कस्य सम्बन्धिनः ? ‘योगत्रयस्य’ मनोवाक्कायत्रयस्य अत्र कृतवचनं कर्तुः स्वातंत्र्यप्रिपत्त्यर्थं कारितानुविधानं परप्रयोगापेक्षमनुवचनं अनुमननवचनं प्रयोजकस्य मानसपरिणामप्रदर्शनार्थं तथा हिमनसा चरसत्त्वहिंसां स्वयं न करोमि, चरसत्त्वान् हिनस्मीति मनःसंकल्पं न करोमीत्यर्थः मनसा चरसत्त्वहिंसामन्यं न कारयामि, चरसत्त्वान् हिंसय हिंसयेति मनसा प्रयोजको न भवामीत्यर्थः तथा अन्यं चरसत्त्वहिंसां कुर्वन्तं मनसा नानुमन्ये, सुन्दरमनेन कृतमिति मनःसंकल्पं न करोमीत्यर्थः एवं वचसा स्वयं

ટીકા :चरसत्त्वान्’ ત્રસ જીવોને यन्नहिनस्ति’ જે ન હણવું तत्’ તેને (તે ક્રિયાને) स्थूलवधाद्विरमणम्’ સ્થૂળ હિંસાથી વિરમણ (વિરતિ) કહે છે. (અર્થાત્ અહિંસાણુવ્રત કહે છે.) કોણ તે (કહે છે?) निपुणाः’ હિંસાદિ વિરતિરૂપ વ્રતના (અહિંસાણુવ્રતાદિના) વિચારમાં દક્ષ (કુશલ) આચાર્યાદિક. કેવી રીતે હણતા નથી? संकल्पात्’ સંકલ્પથી અર્થાત્ ‘હું મારુંહું હિંસા કરું’ એવા સંકલ્પનોઅભિપ્રાયનો આશ્રય કરીને (હણતા નથી); કેવા સંકલ્પથી? कृतकारितानुमननात्’કૃત, કારિત અને અનુમોદનારૂપ (સંકલ્પથી), કોના સંબંધી? योगत्रयस्य’ મન, વચન અને કાય એ ત્રણ યોગના (સંબંધી).

અહીં ‘કૃત’ વચન કર્તાના સ્વાતંત્ર્યની પ્રતિપત્તિ અર્થે છે, ‘કારિત’નું વિધાન પરની ક્રિયાની અપેક્ષા સૂચવતું કથન છે, ‘અનુમનન’નું વચન (‘અનુમોદન’નું વચન) પ્રયોજકના માનસનું પરિણામ દર્શાવવા માટે છે.

તે આ પ્રમાણે ૧. મનથી ત્રસ જીવોની હિંસા હું સ્વયં કરું નહિત્રસ જીવોને હું હણું એવો મનમાં સંકલ્પ ન કરું. એવો અર્થ છે. ૨. મનથી ત્રસ જીવોની હિંસા બીજા પાસે હું ન કરાવું‘ત્રસ જીવોની હિંસા કરોહિંસા કરો’ એમ મનથી હું પ્રેરકપ્રયોજક ન થાઉં. એવો અર્થ છે. ૩. તથા ત્રસ જીવોની હિંસા કરતા અન્યને હું મનથી અનુમતિ १. संकल्पात्हिंसाभिसन्धिमाश्रित्य ग घ पुस्तकयोः २. कारितानिधानं ग घ पुस्तकयोः ३. अनुवचनं ख पुस्तके अनुमननं वचनं ग पुस्तके अनुमतवचन घ०