૧૫૬ ]
‘परिवादो’ मिथ्योपदेशोऽभ्युदयनिःश्रेयसार्थेषु क्रियाविशेषेष्वन्यस्यान्यथा- प्रवर्तनमित्यर्थः । ‘रहोऽभ्याख्या’ रहसि एकान्ते स्त्रीपुंसाभ्यामनुष्ठितस्य क्रियाविशेषस्याभ्याख्या
પુરુષાર્થસિદ્ધિ – ઉપાયમાં કહ્યું છે કે —
‘‘.....આ બધાં જ વચનોમાં પ્રમત્તયોગ જ એક હેતુ કહેવામાં આવ્યો છે, તેથી અસત્ય વચનમાં પણ (પ્રમત્તયોગનો સદ્ભાવ હોવાથી) હિંસા નિશ્ચિત થાય છે.’’ (શ્લોક ૯૯)
‘‘જૂઠ વચનના ત્યાગી મહામુનિ હેય અને ઉપાદેયનો વારંવાર ઉપદેશ કરે છે. ત્યાં પાપની નિંદા કરતાં પાપી જીવને (પોતાના દોષના કારણે) તેમનો ઉપદેશ બૂરો લાગે છે, અથવા કોઈને ધર્મોપદેશ ખરાબ લાગે તે દુઃખ પામે, પણ તે આચાર્યોને (ઉપદેશ સાંભળનારની લાગણી દુઃખાવા છતાં) જૂઠનો દોષ લાગતો નથી. કેમ કે તેમને પ્રમાદ (કષાય) નથી, પ્રમાદપૂર્વક વચનમાં જ હિંસા છે. તેથી જ કહ્યું છે કે પ્રમાદ સહિત યોગથી વચન બોલવાં તે જ જૂઠ જે, અન્યથા નહિ.’’ (શ્લોક ૧૦૦નો ભાવાર્થ). ૫૫
હવે સત્યાણુવ્રતના અતિચારો કહે છે —
અન્વયાર્થ : — [परिवादरहोभ्याख्या ] મિથ્યા (ખોટો) ઉપદેશ દેવો, કોઈની ગુપ્ત ક્રિયાને પ્રગટ કરી દેવી, [पैशुन्यम् ] અન્યનો અભિપ્રાય જાણી તેને ઇર્ષાથી પ્રગટ કરવો, [कूटलेखकरणम् ] ખોટો લેખ (દસ્તાવેજ) લખવો, [च ] અને [न्यासापरिहारितापि ] ગીરો રાખેલી વસ્તુને પણ અંશે હડપ કરી જવાનાં (પચાવી પાડવાનાં વચનો બોલવાં) — એ [पञ्च ] પાંચ [सत्यस्य ] સત્યાણુવ્રતના [व्यतिक्रमाः ] અતિચારો છે.
ટીકા : — ‘परिवादो’ મિથ્યા ઉપદેશ અર્થાત્ સ્વર્ગ અને મોક્ષની પ્રયોજનવાળી ક્રિયાવિશેષોમાં કોઈનું અન્યથા સમાપન કરવું તે પરિવાદ (મિથ્યા ઉપદેશ) છે. ‘रहोऽभ्याख्या’