Ratnakarand Shravakachar (Gujarati).

< Previous Page   Next Page >


Page 147 of 315
PDF/HTML Page 171 of 339

 

કહાનજૈનશાસ્ત્રમાળા ]

રત્નકરંડક શ્રાવકાચાર
[ ૧૫૭

प्रकाशनं ‘पैशुन्यं’ अंगविकारभ्रूविक्षेपादिभिः पराभिप्रायं ज्ञात्वा असूयादिना तत्प्रकटनं साकारमंत्रभेद इत्यर्थः ‘कूटलेखकरणं’ च अन्येनानुक्तमननुष्ठितं यत्किंचिदेव तेनोक्त- मनुष्ठितं चेति वंचनानिमित्तं कूटलेखकरणं कूटलेखक्रियेत्यर्थः ‘न्यासापहारिता’ द्रव्यनिक्षेप्तु- र्विस्मृतसंख्यस्याल्पंसंख्यं द्रव्यमाददानस्य एवमेवेत्यभ्युपगमवचनं एवं परिवादादयश्चत्वारो न्यासापहारिता पंचमीति सत्यस्याणुव्रतस्य पंच ‘व्यतिक्रमाः’ अतीचारा भवन्ति ।।५६।। રહોભ્યાખ્યા છે. पैशुन्यम्’ શરીરની ચેષ્ટાથી અને ભવાંની ક્રિયા આદિથી બીજાનો અભિપ્રાય જાણીને, ઇર્ષાથી તે પ્રગટ કરવો તે સાકાર મંત્રભેદ છેએવો અર્થ છે. कूटलेखकरणम्’ બીજા દ્વારા કાંઈપણ નહિ કહેલા અને નહિ કરેલાને ‘તેણે કહ્યું છે અને તેણે કર્યું છે’ એમ તેને ઠગવાના હેતુથી જૂઠો દસ્તાવેજ (લેખ) લખવો તે કૂટલેખ ક્રિયા છેએવો અર્થ છે. न्यासापहारिता’ વસ્તુ ગીરો મૂકનાર (Depositor) વસ્તુની સંખ્યા ભૂલી જાય અને ઓછી વસ્તુ માગે તો લેનારને હા, એટલી જ છે, એ જ છેએવું વચન કહેવું તે (ન્યાસાપહારિતા) છે. એ પ્રમાણે પરિવાદ (મિથ્યોપદેશ). આદિ ચાર અને ન્યાસાપહારિતા પાંચમુંએમ બધા મળી सत्यस्य’ સત્યાણુવ્રતના પાંચ व्यतिक्रमाः’ અતિચારો છે.

ભાવાર્થ :સત્યાણુવ્રતના પાંચ અતિચાર છે

૧. પરિવાદમિથ્યા ઉપદેશ; અભ્યુદય અને કલ્યાણકારક કાર્યોમાં અન્યથા ઉપદેશ

દેવો.

૨. રહોભ્યાખ્યાસ્ત્રીપુરુષો દ્વારા એકાન્તમાં કરેલી ક્રિયાને પ્રગટ કરવી.
૩. પૈશુન્ય (સાકાર મંત્ર ભેદ)ચાડી કરવી અથવા શરીરની અને ભવાંની ચેષ્ટાથી

બીજાનો અભિપ્રાય જાણી લઈ ઇર્ષાથી તે પ્રગટ કરવો.

૪. કૂટલેખ ક્રિયાબીજાને ઠગવા માટે ખોટો દસ્તાવેજ કરવો.
૫. ન્યાસાપહારગિરો મૂકેલી વસ્તુને ગિરો મૂકનાર ભૂલથી ઓછી વસ્તુ માગે તો

તેને તેટલી જ આપવી. નોંધઃઉપરની ક્રિયાઓમાં નબળાઈને લીધે પ્રવર્તે છે, તેથી તે અતિચાર છે. ૫૬. १. मिथ्योपदेशरहोभ्याख्यानकूटलेखक्रियान्यासापहारसाकारमंत्रभेदाः (તત્ત્વાર્થસૂત્ર અધ્યાય ૭/૨૬)