Ratnakarand Shravakachar (Gujarati).

< Previous Page   Next Page >


Page 151 of 315
PDF/HTML Page 175 of 339

 

કહાનજૈનશાસ્ત્રમાળા ]

રત્નકરંડક શ્રાવકાચાર
[ ૧૬૧

सन्मिश्रं घृतादिकं करोति कृत्रिमैश्च हिरण्यादिभिर्वचनापूर्वकं व्यवहारं करोति हीनाधिकविनिमानं विविधं नियमेन मानं विनिमानं मानोन्मानमित्यर्थः मानं हि प्रस्थादि, उन्मानं तुलादि, तच्च हीनाधिकं, हीनेन अन्यस्मै ददाति, अधिकेन स्वयं गृह्णातीति ।।५८।।

साम्प्रतमब्रह्मविरत्यणुव्रतस्वरूपं प्रतिपादयन्नाह બનાવટી સુવર્ણ આદિથી વંચનાપૂર્વક વ્યવહાર કરે છે. (બનાવટી સુવર્ણાદિ વેચી ઠગાઈ કરે છે.) हीनाधिकविनिमानं’ નિયમથી વિવિધ માન તે વિનિમાન, માન અને ઉન્માન એવો અર્થ છે; માન એટલે પ્રસ્થાદિ પાલી, ગજ, તોલા વગેરે માપવાનાં સાધન અને ઉન્માન એટલે ત્રાજવાં, બાટ વગેરે તે તોલવાનાં સાધનતે હીનાધિક ઓછાંવત્તાં રાખીને ઓછા માપથી અન્યને આપે છે અને અધિક માપથી સ્વયં લે છે.

ભાવાર્થ :અચૌર્યાણુવ્રતના પાંચ અતિચાર

૧. ચૌરપ્રયોગચોરીનો ઉપાય બતાવવોચોરી કરવાની પ્રેરણા કરવી.

૨. ચૌરાર્થદાનચોરીની વસ્તુ ખરીદવી.

૩. વિલોપ (વિરુદ્ધ રાજ્યાતિક્રમ)રાજ્યના કાયદાથી વિરુદ્ધ વર્તવું.

૪. સદ્રશસન્મિશ્ર (પ્રતિરૂપક વ્યવહાર)હલકીભારે ચીજોનું સંમિશ્રણ કરી ઊંચી કિંમતે વેચવું.

૫. હીનાધિક વિનિમાન (હીનાધિક માનોન્માન)માપતોલા ઓછાંવત્તાં રાખવાં; ઓછા માપથી આપવું અને અધિક માપથી લેવું.

આ કાર્યો નબળાઈને લીધે થાય છે પણ આસક્ત ભાવે થતાં નથી. તે દોષ તો છે જ, પરંતુ તેથી વ્રતનો સંપૂર્ણ ભોગ થતો નથી, તેથી તેને અતિચાર કહે છે. ૫૮.

હવે અબ્રહ્મવિરતિ અણુવ્રતના અર્થાત્ (બ્રહ્મચર્યાણુવ્રતના) સ્વરૂપનું પ્રતિપાદન કરી કહે છે १. स्तेनप्रयोगतदाहृतादानविरुद्धराज्यातिक्रमहीनाधिकमानोन्मानप्रतिरूपक व्यवहाराः

(तत्त्वार्थसूत्र अध्याय ७/२७)