Ratnakarand Shravakachar (Gujarati). Shlok: 60 brahmcharyANuvratanA atichar.

< Previous Page   Next Page >


Page 153 of 315
PDF/HTML Page 177 of 339

 

કહાનજૈનશાસ્ત્રમાળા ]

રત્નકરંડક શ્રાવકાચાર
[ ૧૬૩

तस्यातीचारानाह
अन्यविवाहाकरणानङ्गक्रीडाविटत्वविपुलतृषः
इत्वरिकागमनं चास्मरस्य पञ्च व्यतीचाराः ।।६०।।

‘अस्मरस्या’ ब्रह्मनिवृत्त्यगुणव्रतस्य पंच व्यतीचाराः कथमित्याह - પુરુષ સાથે રમવું નહિ અને અન્ય સ્ત્રીને તેમ કરવા પ્રેરવી નહિ.

વિશેષ

પુરુષવેદ, સ્ત્રીવેદ અને નપુંસકવેદના પરિણમનરૂપ રાગભાવ (પ્રમાદ) સહિતના યોગથી સ્ત્રીપુરુષ મળીને કામસેવનનો ભાવ કરવો તે કુશીલ છે. તેમાં પ્રાણીવધનો સર્વત્ર સદ્ભાવ હોવાથી હિંસા થાય છે.

સ્ત્રીની યોનિ, નાભિ, કુચ (સ્તન) અને કાખમાં મનુષ્યાકારના અસંખ્ય પંચેન્દ્રિય જીવ ઉત્પન્ન થાય છે; તેથી સ્ત્રી સાથે કામસેવન કરવાથી આ જીવોની દ્રવ્યહિંસા થાય છે. અને સ્ત્રીપુરુષ બંનેને કામરૂપ પરિણામ થાય છે, તેનાથી તે બંનેને ભાવહિંસા થાય છે. ૫૯.

તેના (બ્રહ્મચર્યાણુવ્રતના) અતિચાર કહે છે

બ્રÙચર્યાણુવ્રતના અતિચાર
શ્લોક ૬૦

અન્વયાર્થ :[अन्यविवाहाकरणानङ्गक्रीडाविटत्वविपुलतृषः ] અન્ય વિવાહકરણ (બીજાનો વિવાહ કરવો), અનંગક્રીડા (કામસેવનના અંગો છોડી અન્ય અંગોથી વિષયસેવન કરવું), વિટત્વ (ગાળો બોલવી, અશ્લિલ વચન બોલવાં), વિપુલ તૃષા (વિષય સેવનમાં બહુ ઇચ્છા રાખવી) [च ] અને [इत्वरिकागमन ] ઇત્વરિકાગમન (વ્યભિચારિણી સ્ત્રીને ત્યાં આવજા કરવી)[पञ्च ] પાંચ [अस्मरस्य ] બ્રહ્મચર્યાણુવ્રતના [व्यतीचाराः ] અતિચારો છે.

ટીકા :अस्मरस्य’ અબ્રહ્મત્યાગ અણુવ્રતના (બ્રહ્મચર્યાણુવ્રતના) પાંચ અતિચારો १. अस्य ग पाठः ૨. જુઓ પુરુષાર્થસિદ્ધિઉપાય ગુજરાતી આવૃત્તિ, શ્લોક ૧૦૭ અને તેનો ભાવાર્થ તથા શ્લોક ૧૦૮

થી ૧૧૦.