Ratnakarand Shravakachar (Gujarati).

< Previous Page   Next Page >


Page 155 of 315
PDF/HTML Page 179 of 339

 

કહાનજૈનશાસ્ત્રમાળા ]

રત્નકરંડક શ્રાવકાચાર
[ ૧૬૫

‘परिमितपरिग्रहो’ देशतः परिग्रहविरतिरणुव्रतं स्यात् कासौ ? या ‘ततोऽधिकेषु निस्पृहता’ ततस्तेभ्य इच्छावशात् कृतपरिसंख्यातेभ्योऽर्थोभ्योऽधिकेष्वर्थेषु या निस्पृहता वाञ्छाव्यावृत्तिः कि कृत्वा ? ‘परिमाय’ देवगुरुपादाग्रे परिमितं कृत्वा कं ? ‘धनधान्यादिग्रन्थं’ धनं गवादि, धान्यं ब्रीह्यादि आदिशब्दाद्दासीदासभार्यागृहक्षेत्रद्रव्य- सुवर्णरूप्याभरणवस्त्रादिसंग्रहः स चाखौ ग्रन्थश्च तं परिमाय स च परिमित परिग्रहः ‘इच्छापरिमाणनामापि’ स्यात्, इच्छायाः परिमाणं यस्य स इच्छापरिमाणस्तन्नाम यस्य स तथोक्तः ।।६१।। પરિમાણ કરીને [ततः ] તેનાથી [अधिकेषु ] વધારે [निस्पृहता ] ઇચ્છા ન રાખવી તે [परिमितपरिग्रहः ] પરિગ્રહ પરિમાણવ્રત [अपि ] અથવા [इच्छापरिमाणनामा ] ઇચ્છાપરિમાણ નામનું વ્રત [स्यात् ] છે.

ટીકા :धनधान्यादिग्रंथम्’ ગાય, ભેંસાદિ ધન, ચોખાદિ અનાજ અને દાસ, દાસી, ભાર્યા, ગૃહ, ક્ષેત્ર, દ્રવ્ય, સુવર્ણ, ચાંદી, આભરણ, વસ્ત્રાદિનો સંગ્રહએવા સંગ્રહરૂપ પરિગ્રહનું परिमाय’ દેવગુરુના પાદ આગળ (દેવગુરુની સમક્ષ) પરિમાણ કરીને न तोऽधिकेषु निस्पृहता’ તેનાથીઇચ્છા પ્રમાણે સંખ્યાથી મર્યાદિત કરેલી વસ્તુઓથી અધિક વસ્તુઓમાં ઇચ્છા રહિત થવુંવાંછા રહિત થવું તે परिमितपरिग्रहः’ એકદેશ પરિગ્રહવિરતિરૂપ અણુવ્રત છે. इच्छापरिमाणनाम अपि’ તે પરિમિત પરિગ્રહમાં પોતાની ઇચ્છાનુસાર પરિગ્રહનું પરિમાણ કરવામાં આવે છે તેથી તેનું બીજું નામ ‘ઇચ્છાપરિમાણ’ પણ છે.

ભાવાર્થ :ક્ષેત્ર (ખેતર), વાસ્તુ (મકાન આદિ), હિરણ્ય (રૂપિયાચાંદી આદિ), સ્વર્ણ (સોનું યા સુવર્ણનાં ઘરેણાં), ધન (ગાય આદિ), ધાન્ય (અનાજ), દાસી, દાસ, કુપ્ય (વસ્ત્રાદિ) અને ભાણ્ડ (વાસણ આદિ)એ દશ પ્રકારના પરિગ્રહનું પરિમાણ કરીને તેનાથી અધિકમાં વાંછા (ઇચ્છા) ન કરવી તેને પરિગ્રહપરિમાણ અણુવ્રત કહે છે. તેને ઇચ્છાપરિમાણ અણુવ્રત પણ કહે છે.

વિશેષ

પુરુષાર્થસિદ્ધિઉપાયમાં કહ્યું છે કે

મોહના ઉદયનિમિત્તે ઉત્પન્ન થયેલ મમત્વરૂપ પરિણામ જ મૂર્ચ્છા છે, અને જે મૂર્ચ્છા છે તે જ પરિગ્રહ છે. (શ્લોક ૧૧૧)