Ratnakarand Shravakachar (Gujarati).

< Previous Page   Next Page >


Page 179 of 315
PDF/HTML Page 203 of 339

 

કહાનજૈનશાસ્ત્રમાળા ]

રત્નકરંડક શ્રાવકાચાર
[ ૧૮૯

मया श्लोकोऽयं कृतः

अबालस्पर्शका नारी ब्राह्मणोऽतृणहिंसकः
वने काष्ठमुखः पक्षी पुरेऽपसरजीवकः ।। इति

इति कथयित्वा तलारं धीरयित्वा सन्ध्यायां ब्राह्मणः शिक्यतपस्विसमीपं गत्वा तपस्विप्रतिचारकैर्निर्घाटयमानोजोऽपि रात्र्यन्धो भूत्वा तत्र पतित्वैकदेशे स्थितः ते च प्रतिचारकाः रात्र्यन्धपरीक्षणार्थं तृणकट्टिकांगुल्यादिकं तस्याक्षिसमीपं नयन्ति स च पश्यन्नपि न पश्यति बृहद्रात्रौ गुहायामन्धकूपे नगरद्रव्यं ध्रियमाणमालोक्य तेषां खादनपानादिकं वालोक्य प्रभाते राज्ञा मार्यमाणस्तलारो रक्षितः तेन रात्रिदृष्टमावेद्य स शिक्यस्थस्तपस्वी चौरस्तेन तलारेण बहुकदर्थनादिभिः कदर्थ्यमानो मृत्वा दुर्गतिं गतस्तृतीयाव्रतस्य

એવાં ચાર તીવ્ર કપટ જોઈને મેં આ શ્લોક બનાવ્યો છે

अबालस्पर्शका नारी ब्राह्मणोऽतृणहिंसकः
वने काष्ठमुखः पक्षी, पुरेऽपसरजीवकः ।। इति

પુત્રને નહિ સ્પર્શતી નારી, તૃણઅહિંસક બ્રાહ્મણ, વનમાં કાષ્ઠમુખ પક્ષી અને નગરમાં અપસરજીવકએ ચાર મહાકપટ મેં જોયા.

એમ કહી કોટવાળને ધીરજ આપીને સંધ્યાસમયે બ્રાહ્મણ સીંકામાં રહેવાવાળા તપસ્વી પાસે ગયો અને તપસ્વીના નોકરોએ તેને ત્યાંથી હાંકી કાઢવા માંડ્યો, પણ રાત્રિ અંધ (રતાંધળો) થઈને ત્યાં એક ઠેકાણે પડી રહ્યો. તે નોકરો તે રતાંધળાની પરીક્ષા કરવા માટે તૃણકંડુક, આંગળી વગેરે તેની આંખ સમીપ લાવતા, પરંતુ તે દેખવા છતાં ન દેખતો રહ્યો.

પાછલી રાત્રે ગુફારૂપી અંધકૂપમાં રાખેલું નગરનું ધન તેણે જોયું અને તેમનાં ખાનપાનાદિક પણ જોયાં. સવારે તેણે જે કાંઈ રાત્રે જોયેલું તે કહીને રાજા દ્વારા માર્યા જતા કોટવાળને બચાવ્યો.

કોટવાળે સીંકામાં બેસવાવાળા તપસ્વીને બહુ પ્રકારે દુઃખી કર્યો અને તે મરીને દુર્ગતિએ ગયો.

એ પ્રમાણે તૃતીય અવ્રતની કથા પૂર્ણ થઈ. ૩. १. खानपानस्त्र्यादिकं चालोक्य घ