Ratnakarand Shravakachar (Gujarati). Shlok: 73 digvirti vratanA atichAr.

< Previous Page   Next Page >


Page 193 of 315
PDF/HTML Page 217 of 339

 

કહાનજૈનશાસ્ત્રમાળા ]

રત્નકરંડક શ્રાવકાચાર
[ ૨૦૩

इदानीं दिग्विरतिव्रतस्यातिचारानाह

ऊर्ध्वाधस्तात्तिर्यग्व्यतिपाताः क्षेत्रवृद्धिरवधीनाम्
विस्मरणं दिग्विरतेत्याशाः पञ्च मन्यन्ते ।।७३।।

‘दिग्विरतेरत्याशा’ अतीचाराः ‘पंच मन्यन्तेऽ’भ्युपगम्यन्ते तथा हि अज्ञानात् प्रमादाद्वा ऊर्ध्वदिशोऽधस्ताद्दिशस्तिर्यंग्दिशश्च व्यतीपाता विशेषेणातिक्रमणानि त्रयः तथाऽज्ञानात् प्रमादाद्वा ‘क्षेत्रवृद्धिः’ क्षेत्राधिक्यावधारणं तथाऽ‘वधीनां’ दिग्विरतेः कृतमर्यादानां ‘विस्मरणं’ मिति ।।७३।।

હવે દિગ્વિરતિ વ્રતના અતિચાર કહે છે

દિગ્વિરતિ વ્રતના અતિચાર
શ્લોક ૭૩

અન્વયાર્થ :અજાણતાથી અથવા પ્રમાદથી [ऊर्ध्वाधस्तात्तिर्यग्व्यतिपाताः ] ઉપર, નીચે તથા તિર્યક્ દિશાઓની મર્યાદાનું ઉલ્લંઘન કરવું. [क्षेत्रवृद्धिः ] ક્ષેત્રની મર્યાદા વધારી લેવી અને [अवधीनाम् ] કરેલી મર્યાદાઓની [विस्मरणम् ] ભૂલી જવી તે [पञ्च ] પાંચ [दिग्विरतेः ] દિગ્વ્રતના [अत्याशाः ] અતિચારો [मन्यन्ते ] માનવામાં આવ્યા છે.

ટીકા :दिग्विरतेरत्याशाः’ દિગ્વ્રતના અતિચારો पञ्च मन्यन्ते’ પાંચ માનવામાં આવ્યા છે તે આ પ્રમાણે છેઅજ્ઞાનથી (અજાણતાથી) વા પ્રમાદથી, ऊर्ध्वाधस्तात्तिर्यग्व्यतिपाताः’ નીચેની દિશા, ઉપરની (ઊર્ધ્વ) દિશા તથા તિર્યક્ દિશાઓની મર્યાદાઓનું ઉલ્લંઘન કરવું, તેમનો વિશેષ પ્રકારે અતિક્રમ કરવોએ ત્રણ (અતિચારો) તથા અજાણતાથી કે પ્રમાદથી क्षेत्रवृद्धिः’ ક્ષેત્રની વૃદ્ધિ કરવી અને अवधीनां’ દિગ્વ્રતની કરેલી મર્યાદાઓનું विस्मरणं’ વિસ્મરણ થવું (એ પાંચ દિગ્વ્રતના અતિચારો છે.)

ભાવાર્થ :દિગ્વ્રતના પાંચ અતિચારો માનવામાં આવ્યા છે અને તે નીચે પ્રમાણે છેઃ १. विशेषातिक्रमणानि घ