૨૦૪ ]
१
અજાણતાથી કે પ્રમાદથી —
વૃક્ષ આદિના શિખર ઉપર કરેલી મર્યાદાની બહાર ચઢવું.
સમુદ્ર આદિમાં કરેલી મર્યાદા કરતાં વધુ નીચે ઊતરવું.
કરેલી મર્યાદાનું ઉલ્લંઘન જો અજાણતાં યા અસાવધાનીથી કરવામાં આવે તો તેથી અનાચારનો દોષ થતો નથી, પરંતુ અતિચારનો દોષ લાગે છે. જો ઇરાદાપૂર્વક જાણી જોઈને યા લોભવશાત્ મર્યાદાનું ઉલ્લંઘન કરવામાં આવે તો તેથી વ્રતભંગ થાય છે. આ વાત ટીકાકારે ‘अज्ञानात् प्रमादात् वा’ શબ્દો દ્વારા સ્પષ્ટ કરી છે. ૭૩.
હવે અનર્થદંડની વિરતિસ્વરૂપ બીજા ગુણવ્રતનું વ્યાખ્યાન કરતાં કહે છે —
અન્વયાર્થ : — [व्रतधरागण्य ] વ્રતધારીઓમાં પ્રધાન તીર્થંકરદેવ, [दिगवधेः ] દિશાઓની (કરેલી) મર્યાદાની [अभ्यन्तरम् ] અંદર [अपार्थकेभ्यः ] પ્રયોજનરહિત [सपापयोगेभ्यः ] પાપસહિત મન, વચન, કાયની પ્રવૃત્તિઓથી [विरमणम् ] અટકવું (વિરક્ત થવું) તેને [अनर्थदण्डव्रतम् ] અનર્થદંડવ્રત [विदुः ] કહે છે. १. इदानीं द्वितीयमनर्थदण्डव्रतं इति ख ।