Ratnakarand Shravakachar (Gujarati). Shlok: 74 anarThadand vratanu swarup.

< Previous Page   Next Page >


Page 194 of 315
PDF/HTML Page 218 of 339

 

૨૦૪ ]

રત્નકરંડક શ્રાવકાચાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-

इदानीमनर्थदण्डविरतिलक्षणं द्वितीयं गुणव्रतं व्याख्यातुमाह
अभ्यन्तरं दिगवधेरपार्थकेभ्यः सपापयोगेभ्यः
विरमणमनर्थदण्डव्रतं विदुर्व्रतधराग्रण्यः ।।७४।।

અજાણતાથી કે પ્રમાદથી

૧. ઊર્ધ્વભાગ વ્યતિક્રમઉપરની દિશામાં કરેલી મર્યાદાનું ઉલ્લંઘન કરવુંપર્વત અને

વૃક્ષ આદિના શિખર ઉપર કરેલી મર્યાદાની બહાર ચઢવું.

૨. અધોભાગ વ્યતિક્રમનીચેની દિશામાં કરેલી મર્યાદાનું ઉલ્લંઘન કરવુંકૂવો, વાવ,

સમુદ્ર આદિમાં કરેલી મર્યાદા કરતાં વધુ નીચે ઊતરવું.

૩. તિર્યગ્ભાગ વ્યતિક્રમતિર્યગ્ દિશાઓમાં કરેલી મર્યાદાનું ઉલ્લંઘન કરવું.
૪. અવધિવિસ્મરણકરેલી મર્યાદાઓને ભૂલી જવી.
૫. ક્ષેત્રવૃદ્ધિક્ષેત્રની મર્યાદાને વધારી દેવી.

કરેલી મર્યાદાનું ઉલ્લંઘન જો અજાણતાં યા અસાવધાનીથી કરવામાં આવે તો તેથી અનાચારનો દોષ થતો નથી, પરંતુ અતિચારનો દોષ લાગે છે. જો ઇરાદાપૂર્વક જાણી જોઈને યા લોભવશાત્ મર્યાદાનું ઉલ્લંઘન કરવામાં આવે તો તેથી વ્રતભંગ થાય છે. આ વાત ટીકાકારે अज्ञानात् प्रमादात् वा’ શબ્દો દ્વારા સ્પષ્ટ કરી છે. ૭૩.

હવે અનર્થદંડની વિરતિસ્વરૂપ બીજા ગુણવ્રતનું વ્યાખ્યાન કરતાં કહે છે

અનર્થદંMવ્રતનું સ્વરુપ
શ્લોક ૭૪

અન્વયાર્થ :[व्रतधरागण्य ] વ્રતધારીઓમાં પ્રધાન તીર્થંકરદેવ, [दिगवधेः ] દિશાઓની (કરેલી) મર્યાદાની [अभ्यन्तरम् ] અંદર [अपार्थकेभ्यः ] પ્રયોજનરહિત [सपापयोगेभ्यः ] પાપસહિત મન, વચન, કાયની પ્રવૃત્તિઓથી [विरमणम् ] અટકવું (વિરક્ત થવું) તેને [अनर्थदण्डव्रतम् ] અનર્થદંડવ્રત [विदुः ] કહે છે. १. इदानीं द्वितीयमनर्थदण्डव्रतं इति ख