Ratnakarand Shravakachar (Gujarati). Shlok: 86 anisht ane anupasevya vastuono tyAg ane vratnu swarup.

< Previous Page   Next Page >


Page 209 of 315
PDF/HTML Page 233 of 339

 

કહાનજૈનશાસ્ત્રમાળા ]

રત્નકરંડક શ્રાવકાચાર
[ ૨૧૯

प्रासुकमपि यदेवंविधं तत्त्याज्यमित्याह

यदनिष्टं तदव्रतयेद्यच्चानुपसेव्यमेतदपि जह्यात्

अभिसन्धिकृता विरतिर्विषयाद्योग्याद्व्रतं भवति ।।८६।।

‘यदनिष्टं’ उदरशूलादिहेतुतया प्रकृतिसात्म्यकं यन्न भवति ‘तद्व्रतयेत्’ व्रतनिवृत्तिं कुर्यात् त्यजेदित्यर्थः न केवलमेतदेव व्रतयेदपितु ‘यच्चानुपसेव्यमेतदपि जह्यात्’ यच्च यदपि गोमूत्रकरभदुग्धशंखचूर्णताम्बूलोद्गाललालामूत्रपुरीषश्लेष्मादिकमनुपसेव्यं આશ્રયે અનંત નિગોદિયા સ્થાવર જીવો રહે છે; માટે અનંત સ્થાવર જીવોની હિંસાથી બચવા માટે તેવી વનસ્પતિનો સર્વથા ત્યાગ કરવો જોઈએ. (પૃથ્વી આદિ એકેન્દ્રિય, બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચતુરિન્દ્રિય અને તિર્યંચ ગતિવાળા જ છે.) વધુ માટે જુઓ પુરુષાર્થસિદ્ધિઉપાય ગુજરાતી આવૃત્તિ શ્લોક ૧૬૨નો ભાવાર્થ. ૮૫.

પ્રાસુક હોવા છતાં જે આવાં પ્રકારનાં (અનિષ્ટ અને અનુપસેવ્ય) હોય, તેમનો પણ ત્યાગ કરવો જોઈએ એમ કહે છે

અનિષ્ટ અને અનુપસેવ્ય વસ્તુઓનો ત્યાગ અને વ્રતનું સ્વરુપ
શ્લોક ૮૬

અન્વયાર્થ :(આ ભોગોપભોગપરિમાણ વ્રતમાં [यद् ] જે વસ્તુ [अनिष्टम् ] અનિષ્ટ (અહિતકર) હોય, [तत् ] તે [व्रतयेत् ] છોડવી જોઈએ [च ] અને [यत् ] જે [अनुपसेव्यत् ] (સારા માણસોને) સેવન કરવા યોગ્ય ન હોય [एतद् अपि ] તે પણ [जह्यात् ] છોડવું જોઈએ; કારણ કે [योग्यात् ] યોગ્ય [विषयात् ] વિષયોથી [अभिसन्धिकृत्वा ] અભિપ્રાયપૂર્વક કરેલો [विरतिः ] ત્યાગ તે [व्रतं ] વ્રત [भवति ] છે.

ટીકા :यदनिष्टम्’ પેટમાં ચૂંક આદિ આવવાના કારણે જે પ્રકૃતિને માફક ન આવે તેવી વસ્તુ અનિષ્ટ છે, तद्व्रतयेत्’ તેનાથી (તેવી અનિષ્ટ ચીજથી) નિવૃત્તિ કરવી જોઈએ, તેનો ત્યાગ કરવો જોઈએ તેવો અર્થ છે. ફક્ત તેનો જ ત્યાગ કરવો એટલું જ નહિ, કિન્તુ यच्चानुपसेव्यमेतदपि जह्यात्’ ગોમૂત્ર (ગાયનું મૂત્ર), ઊંટડીનું દૂધ, શંખચૂર્ણ, १. यानवाहनाभरणादिषु एतावदेवेष्टमतोऽन्यदनिष्टमित्यनिष्टान्निवर्तनं कर्तव्यं २. न ह्यसति अभिसन्धिनियमे

व्रतमितीष्टानामपि चित्रवस्त्रविकृतवेशाभरणादीनामनुपसेव्यानां परित्यागः कार्यः