કહાનજૈનશાસ્ત્રમાળા ]
અભક્ષ્ય હોવાથી ડુંગળી, લસણ આદિ ચીજોનો ખાવામાં ઉપયોગ કરવામાં આવતો નથી. તો તેવી ચીજો અનુપસેવ્ય છે અર્થાત્ સેવન કરવા યોગ્ય નથી.
આ પ્રમાણે જે પદાર્થો ભક્ષ્ય હોય – ખાવા યોગ્ય હોય અને જીવહિંસાથી રહિત હોય, પરંતુ પોતાને માટે અનિષ્ટ હોય અને ઉચ્ચ કુલીનજનો માટે અનુપસેવ્ય હોય તો વ્રતધારીએ તેવા પદાર્થોનો સર્વથા ત્યાગ કરવો જોઈએ.
નીચેના પાંચ પ્રકારના પદાર્થોનો વ્રતીએ સર્વથા ત્યાગ કરવો જોઈએ —
નીમ અને કેતકીનાં ફૂલ આદિ.
વગેરે.
૫. અનુપસેવ્ય ચીજો — શિષ્ટજનોમાં સેવન કરવા યોગ્ય ન હોય તેવી ચીજો.
આ ઉપરાંત નીચેની બાવીસ અભક્ષ્ય ચીજો જેમાં ઉપરોક્ત પાંચ પ્રકારની ચીજોનો પણ સમાવેશ થાય છે, તેનો પણ વ્રતીએ ત્યાગ કરવો જોઈએ.
ઓલા, ઘોરવડા, નિશિભોજન, બહુબીજા, રીંગણા, અથાણાં, વડ, પીપળ, ઉમર, અનાનસ (કઠ), અંજીર (પાકરફળ), અજાણ્યા ફળ તથા કંદમૂળ, માટી, વિષ, આમિષ (માંસ – ઇંડા), મધુ, માખણ, મદિરાપાન, અતિ તુચ્છ ફળ, તુષાર, ચલિતરસ — એ જિનમતમાં બાવીસ અભક્ષ્ય કહ્યા છે.